ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી - At This Time

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી


ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા ની ૨૨૮૭ મી બેઠક તા.૧૫/૦૫/૨૪ બુધવારના રોજ ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમા મળી. જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં સંવાદ અંતર્ગત ભાવનગરના જાણીતા કવિશ્રી ડૉ. વિનોદ જોશી દ્વારા પોતાના સર્જન અને અનુભવ વિશે રસપ્રદ વાતો વિવિધ પ્રશ્નોના જવાબ આપી કરવામાં આવી .આ દિવસે કવિયત્રી પરિમલાબેન રાવલનું સન્માન કરવામાં આવ્યુ. રચનાઓનું પઠન કરવામાં આવ્યું હતું. ૪૫ ભાવકો અને સાહિત્યપ્રેમીઓ આજની બુધસભામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.