મનપાએ વધુ 84 મિલકત સીલ કરી, 218ના સીલ ખોલી આપ્યા - At This Time

મનપાએ વધુ 84 મિલકત સીલ કરી, 218ના સીલ ખોલી આપ્યા


ગેરકાયદે બાંધકામ દૂર કરવા, NOC મેળવવાના કામ પૂરતા જ તાળાં ખૂલશે

ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી ન હોય તેવી મિલકતોને સીલ મારવાની ઝુંબેશ મોટા પાયે શરૂ કરાઈ છે. ગુરુવારે વધુ 84 મિલકત સીલ કરવામાં આવી છે. રોજની અનેક મિલકતો સીલ કરાઈ છે જેમાં હોસ્પિટલ, સ્કૂલ, ટ્યૂશન ક્લાસીસ, જિમ્નેશિયસ સહિતનો સમાવેશ થાય છે તે પૈકી સીલ ખોલવા માટે શું કરવું તે પ્રશ્ન આવતા ખાસ કમિટી રચવામાં આવી છે જેણે 218 સીલ ખોલવાની મંજૂરી આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.