રાજકોટથી શ્રાવણમાં 7 જ્યોતિર્લિંગ અને રામ જન્મભૂમિ સાથે 3 જ્યોતિર્લિંગ બે સ્પે.ટ્રેન દોડશે - At This Time

રાજકોટથી શ્રાવણમાં 7 જ્યોતિર્લિંગ અને રામ જન્મભૂમિ સાથે 3 જ્યોતિર્લિંગ બે સ્પે.ટ્રેન દોડશે


IRCTC દ્વારા દેખો​​​​​​​ અપના દેશ અંતર્ગત ઓગસ્ટમાં ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન સેવા અપાશે

ભારતીય રેલવે દ્વારા ધાર્મિક સ્થળોની તેમજ ફરવા લાયક સ્થળોએ ફરવા જવા ઇચ્છતા લોકો માટે સ્પે.ટ્રેન ચલાવી રહી છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત આઇઆરસીટીસી દ્વારા આગામી શ્રાવણ મહિનાને ધ્યાને રાખી ભાવિકો માટે ખાસ ધાર્મિક સ્થળોને આવરી લેતા સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક ટ્રેન 7 જ્યોતિર્લિંગની અને બીજી રામ જન્મભૂમિ સાથે 3 જ્યોતિર્લિંગની યાત્રાનું આયોજન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.