જસદણના શિવરાજપુર રોડ ઉપર રાત્રિના સમયે અજાણ્યો વાહન ચાલક નીલ ગાય સાથે અકસ્માત સર્જી છુંમંતર
જસદણના શિવરાજપુર રોડ ઉપર રાત્રિના સમયે નીલગાય સાથે અકસ્માત થયો હતો. નીલ ગાયને પગના ભાગમાં ભારે ઈજા પહોંચી હતી ત્યારે વાહનચાલક નાસી છૂટ્યો હતો અને આ નીલગાય સારવાર માટે ગોખલાણા ગામના પશુ પ્રેમી ઉદયરાજ ડાંગર તથા હરેશભાઈ આહિર પહોંચ્યા હતા અને ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા નીલ ગાયને વાહનમાં લઈ જઈ સારવાર અર્થે ખસેડાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)