ચોમાસામાં પ્લાન્ટ વાવી ઘરને બનાવો હરિયાળું - At This Time

ચોમાસામાં પ્લાન્ટ વાવી ઘરને બનાવો હરિયાળું


*ચોમાસામાં પ્લાન્ટ વાવી ઘરને બનાવો હરિયાળું*

*હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેને ચોમાસામાં છોડની કઈ રીતે માવજત કરવી તે અંગે કર્યા સુચનો*

પોરબંદરમાં સદભાવના ટ્રસ્ટના સહયોગથી શહેરમાં વૃક્ષો વાવવાની કામગીરી ધમધમી રહી છે ત્યારે પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેને શહેરને હરિયાળું બનાવવાની સાથોસાથ ઘરને હરિયાળું બનાવવા સુચનો કર્યા છે.સાથોસાથ ચોમાસામાં કઈ રીતે છોડની જાણવણી કરવી તે અંગે માર્ગદર્શન પણ આપ્યું છે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ પોરબંદરમાં ૧૦,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાનું નક્કી કર્યું છે અને પોરબંદરને હરિયાળું બનાવી રહ્યા છે,ત્યારે લોકોને ઘરને કેમ હરિયાળું બનાવવું?ચોમાસામાં છોડની માવજત કેમ કરવી તે અંગે સુચનો કરતા જણાવ્યું હતું કે, કુંડુ પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારાનું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહી તે ચેક કરો, ન હોય તો કાણા પાડો.નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કુંડાની માટી ક્યારેય ન વાપરો.નવી માટી બનાવવા ખેતરની સારી માટીનો ઉપયોગ કરો ૫૦% માટી, ૪૦% જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને ૧૦% ચારેલી ઝીણી રેતને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.કુંડામાં પહેલાં ત્રણ ચાર ઇચ (કુડાની ઉચાઇની સાઇઝ પ્રમાણે)મોટા કાંકરાની રેત અથવા ઇટોના રોડા ભરો,છોડ પસંદ કરતી વખતે મોટેભાગે સીઝનલ છોડ ન લો, એ મોઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી.સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતા સાથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મુળીયા જમીનમાં ઉતરેલા હોય તો, એને ખેચીને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવી ને લો.લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડીયુ એને મુકી રાખો, એ નર્સરીના વાતાવરણમાં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપને અનુકુળ થવા દો.રોપતી વખતે ઠાંસી-ઠાંસીને માટી ન ભરો.રોપીને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી કુંડાની નીચેના કાણામાંથી નીકળે નહી, આમ કરવાથી માટી બેસી જશે અને વધારાનું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે, યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મુળ કહોવાશે, છોડના મુળને પાણી નહી ભેજની જરૂર છે.
ઉપરોક્ત ક્રિયા બાદની એક અતિ મહત્વની વાત એ છે કે , કુંડામાં કે બાગમાં છોડની રોપણી થયા બાદ તુરંત અતી ધારદાર કાતરથી એના ૫૦ % પાન દુર કરો, તથા નિર્દય અને કઠોર બની તેની પરની કળીયો, ફુલ કે ફળ ( જો હોય તો) કાતર થી દુર કરો.નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એટલે એણે ફુલ,કળી,ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે,આપણે તેને ઉછેરવાનો છે.
આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન,કળીઓ,ફુલ અને ફળને વિકસાવવામાં નહી પણ મુળને વિકસાવવા વાપરસે, જો આમ નહી કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડે ધણે અંશે ક્ષતિ પામેલા મુળ પર છોડ પર રહેલા વધારે પાન,કળી,ફુલ,ફળને પોષણ પુરૂ પાડવાની જવાબદારી વધશે, અને તે મુરઝાસે,ચોમાસામાં કેક્ટસના કુળના છોડને સીધા વરસાદથી દુર રાખો અને વાદળ હોય સતત વરસાદ હોય ત્યારે જરૂરીયાત મુજબ અઠવાડીયે જ પાણી આપો.જો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો,અને એ છોડ સાચા માણસના હાથમાં જાસે તો જ પર્યાવરણમાં જીવ આવશે .બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતિ ઉત્સાહથી નહી પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તો જ કરો, કારણકે આ ધીરજ માંગીલે તેવો સજીવને ઉછેરવાનો શોખ છે.તેને દરરોજ હાથ ફેરવી વહાલ કરો, દરેક પ્લાન્ટનું નામ પાડો, અને એ નામે જ તેને બોલાવો.તો તૈયાર રહો સીઝન આવી રહી છે.ઘટાએ ઉંચી ઉંચી કહે રહી હે , નયે અંકુર ખીંચવા ને કે દીન હે, જીગર કે તાર છીડ જાને કે દીન હે,અચ્છે બાગબાં બન જાને કે દીન હે..જેમ પ્રાણીઓને પાળીયે છીએ.તેમ માવજત કરવા રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.