બોટાદ જીલ્લાના પાળીયાદ સ્ટેશનના અપહરણ ના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. - At This Time

બોટાદ જીલ્લાના પાળીયાદ સ્ટેશનના અપહરણ ના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.


(અસરફ જાંગડ દ્વારા)
નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ પાળીયાદ પો.સ્ટે૧૧૧૯૦૦૦૫૨૦૦૮૮૪/૨૦૨૦ ઇ.પી. કો. કલમ ૩૭૬(૨) (એન), ૩૭૬(૩), ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪,૬,૮,૧૨, ૧૭ મુજબના ગુન્હા કામેના આરોપીઓ‌ ગુન્હાના કામે નાસતા ફરતા હોય પાળીયાદ સાયલા ચોકડી પાસે હોવાની બાતમી એ.એસ.આઇ. એચ.બી.ખેરાળીયા તથા હેડ.કોન્સ. અશોકભાઇ રામજીભાઇ બાવળીયા નાઓને મળતા બાતમી આધારે બોટાદ એલ.સી.બી. દ્વારા બંને આરોપીઓ (૧) મનસુખભાઈ ગોવિંદભાઇ સોલંકી ઉ.વ.૪૪ ધંધો-મજુરી તથા (૨) વિજયભાઇ સ/ઓ મનસુખભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉ.વ.ર૪ ધંધો-મજુરી બંને મુળ રહે ગોખલાણા તા.જસદણ જી.રાજકોટ હાલ રહે.સરધાર, ડોકામરડી સોસાયટી, તા.જી. રાજકોટ વાળા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.