જુલાઈ મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું - At This Time

જુલાઈ મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું


માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી પ્રથમ રવિવારે 7 જુલાઈના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે પુસ્તક પરબનું આયોજન 'વડીલોનો વિસામો' તખ્તસિંહજી જાહેર વાચનાલય, નદી કિનારે, પાળિયાદ રોડ - બોટાદમાં યોજાયું હતું. જેમાં વિપુલભાઈ જોશી,વિરાટભાઈ,રણછોડભાઈ કણઝરીયા, પ્રાધ્યાપક વૈશાલીબેન દવે, અજયભાઈ રોજાસરા વગેરે સાહિત્ય રસિક મિત્રોએ હાજરી આપી હતી. પુસ્તક પરબના કાર્યવાહક કુલદીપ વસાણી, બટુક રવૈયા, અંકિત જે. સોલંકી, જયેશ પરમાર અને સમગ્ર વ્યવસ્થા સમર્પણ ગૃપના બાળકો દ્વારા સંભાળવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.