રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલના હોલમાં ૪ ઓગસ્ટે કવિ-કવયિત્રીનુ કવિ સંમેલન યોજાશે - At This Time

રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલના હોલમાં ૪ ઓગસ્ટે કવિ-કવયિત્રીનુ કવિ સંમેલન યોજાશે


રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલના હોલમાં ૪ ઓગસ્ટે કવિ-કવયિત્રીનુ કવિ સંમેલન યોજાશે

ભાવનગર શિશુવિહાર બુધસભા અને સાહિત્ય સેતુ રાજકોટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૪ ઓગસ્ટ , રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલના હોલમાં કવિ-કવયિત્રીનુ કવિ સંમેલન યોજાનાર છે જેમાં ભાવનગરના અને રાજકોટના કવિઓ કાવ્યપાઠ કરશે. ભાવનગરના ૨૨ જેટલા કવિ-કવયિત્રીઓ આ સંમેલનમાં ભાગ લેનાર છે.ભાવનગર થી શિશુવિહારના સંસ્થાના મંત્રી ડૉ.નાનકભાઈ ભટ્ટ તથા રાજકોટ થી અનુપમભાઈ દોશી અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર કોલમિસ્ટ નટવરભાઈ આહલપરાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત થશે. કાર્યક્રમના પ્રારંભે કવિ કવિયત્રીઓ ભુવનેશ્વર વિદ્યાપીઠની મુલાકાતે પણ જશે.બુધ સભાના સંયોજક હીનાબેન ભટ્ટ અને ડૉ માનસી ત્રિવેદી દ્વારા આયોજિત કાર્યક્રમમાં રસ ધરાવતા મિત્રોએ બુધ સભા નો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.