શ્રાવણ માસ પવિત્રા એકાદશી નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર - At This Time

શ્રાવણ માસ પવિત્રા એકાદશી નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર


(ચિંતન વાગડીયા દ્રારા)
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે તા.16-08-2024ને શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.