પુરવઠા નું અનાજ મેળવતા ધારકો માટે મામલતદાર માળિયા હા દ્વારા ગાઈડ લાઈન સાથે અપીલ કરાઈ, પુરવઠાનું અનાજ કોને મળવા પાત્ર અને કોને નહિ. - At This Time

પુરવઠા નું અનાજ મેળવતા ધારકો માટે મામલતદાર માળિયા હા દ્વારા ગાઈડ લાઈન સાથે અપીલ કરાઈ, પુરવઠાનું અનાજ કોને મળવા પાત્ર અને કોને નહિ.


૧૮૦૮/८०/૧૭૧

-:: જાહેર અપીલ ::-

નામદાર સરકારશ્રીના તા.૧૩/૧૦/૨૦૨૦ તથા ૧૪/૦૩/૨૦૨૩ ની જોગવાઈ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફકત ગરીબો માટેની યોજના છે. નીચે મુજબના ધોરણો હોય તેમને યોજનાનો લાભ મળવાપાત્ર નથી.

(૧) ૪ પૈડાવાળા (મોટરકાર, ટ્રેકટર, ટ્રક, બસ,વગેરે)વાહન તથા યાંત્રીક માછીમારીની બોટ ધરાવતા હોય

(૨) કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય,

(૩) કુટુંબની માસિક રૂ. ૧૫,૦૦૦/- થી વધુ આવક હોય,

(૪) કુટુંબનો સભ્ય આવકવેરો(ઈન્કમટેક્ષ),વ્યવસાય વેરો ચુકવતો હોય,

(૫) જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ જમીન તથા પિયતવાળી જમીન ધારણ કરતા હોય,

(s) કુટુંબમાં કોઈ સભ્ય સરકારી પેન્શનર હોય,

(૭) કુટુંબ આર્થિક સુખાકારી/સધ્ધરતા ધરાવતા હોય,

આવા કાર્ડ ધારકો ઈસમોને તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી સ્વેચ્છાએ એન.એફ.એસ.એ. યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ આ યોજનામાંથી સ્વેચ્છાએ કમી/રદ કરવા માટે મામલતદાર કચેરી,માળીયા હાટીના ની પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડની નકલ જોડી અરજી સ્વરૂપે રજુ કરવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં ચૂક થશે તો તા.૦૧/૦૭/૨૦૨૪ પછી ઝુંબેશ રૂપી તપાસ હાથ ધરાનાર છે. તે તપાસ દરમ્યાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટ તંત્ર દ્રારા કાયદેસરની તેમજ જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવાની ફરજ પડશે. તથા પાત્રતા ન ધરાવતા હોવા છતાં લેવામાં આવેલ સરકારી રાશનની બજાર કિંમત મુજબની રકમ વસુલ કરવામાં આવશે જેની જાહેર જનતાને ખાસ નોંધ લેવી.

NFSA રેશનકાર્ડ બંધ કરાવવાની અરજી મામલતદાર કચેરી, માળીયા હાટીના, પુરવઠા શાખામાં અથવા જે-તે ગામની સસ્તા અનાજની દુકાને જમા કરાવવાની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.