કાશીમાં મોદીના 'સ્પેશિયલ-100'એ મોરચો સંભાળ્યો:માર્જિનનો રેકોર્ડ બનાવવા શાહે રણનીતિ ઘડી, યોગીએ 10 સભા કરી; જાણો કોણે કેવી રીતે માહોલ બનાવ્યો - At This Time

કાશીમાં મોદીના ‘સ્પેશિયલ-100’એ મોરચો સંભાળ્યો:માર્જિનનો રેકોર્ડ બનાવવા શાહે રણનીતિ ઘડી, યોગીએ 10 સભા કરી; જાણો કોણે કેવી રીતે માહોલ બનાવ્યો


લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં વારાણસીમાં 1 જૂને મતદાન છે. પીએમ મોદી અહીંથી ત્રીજી વખત ઉમેદવાર છે. ભાજપે તેમની જીતનું માર્જિન વધારવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. ગુરુવારે સાંજે ચૂંટણીપ્રચાર પૂરો થાય એ પહેલાં કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અહીંની શેરીઓમાં ફર્યા અને લોકોને વોટ કરવાની અપીલ કરી. કાશીમાં વડાપ્રધાનના ચૂંટણી સંચાલન માટે દેશભરમાંથી ભાજપની 'સ્પેશિયલ-100' ટીમ મેદાનમાં ઊતરી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આ વખતે પાર્ટી કાશીમાં રેકોર્ડ માર્જિનથી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તેથી દરેક સમુદાય, દરેક જાતિ, દરેક વર્ગ સુધી પહોંચ્યું છે. તેનો હેતુ માત્ર લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો છે. ગૃહમંત્રી અમિત શાહે નોમિનેશનથી લઈને પ્રચાર સુધીની સ્ટ્રેટેજી બનાવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પીયૂષ ગોયલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, હૈદરાબાદનાં બીજેપી ઉમેદવાર માધવી લતા, બીજેપીના ફાયર બ્રાન્ડ લીડર તેજસ્વી સૂર્યા પણ વારાણસી પહોંચ્યાં હતાં. સીએમ યોગી આદિત્યનાથે એકલા કાશીમાં 10 સભા કરી છે, જેમાં પ્રબુદ્ધજન સંમેલન પણ સામેલ છે. કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર, સ્મૃતિ ઈરાની અને રાજનાથ સિંહ, એસપી સિંહ બઘેલ, મહેન્દ્ર નાથ પાંડે, રામદાસ અઠવલે, પારસ પાસવાન સહિત ઘણા દિગ્ગજ નેતાઓ કાશીના ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે, એટલે કે દરેક નેતા કાશીમાં પોતાના લોકો સુધી પહોંચ્યા અને પ્રચાર કર્યો, જેમ કે દેવેન્દ્ર ફડણવીસે મરાઠી સમુદાયનો સંપર્ક કર્યો. તેજસ્વી સૂર્યા દક્ષિણ ભારતીય સમુદાય સુધી પહોંચ્યા. ચાલો... હવે જણાવીએ કે કોણે કઈ જવાબદારી લીધી... અમિત શાહે 4 જાહેરસભા અને 8 જાહેર સંવાદ કર્યા પીએમ મોદીની સંપૂર્ણ ચૂંટણી કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે છે. PMના કાર્યાલયના ઉદ્ઘાટનથી લઈને નામાંકન, ચૂંટણીપ્રચાર, મતદાન, બધું જ તેમના હાથમાં છે. સુનીલ બંસલ જેવા વરિષ્ઠ નેતાઓ શાહની રણનીતિ અમલમાં મૂકી રહ્યા છે. શાહે કાશીમાં 4 સભા અને 8 જાહેર સંવાદ કાર્યક્રમો કર્યા. કાશી વિશ્વનાથ, કાલભૈરવ સહિતનાં મંદિરો અને મઠોની મુલાકાત લીધી અને અગ્રણી લોકોને મળ્યા. યોગી આદિત્યનાથે 10 ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લીધો સીએમ યોગીએ કાશીમાં ચૂંટણીની શરૂઆતથી લઈને પ્રચારના અંત સુધી લગભગ 10 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગંગાની પૂજા-અર્ચના અને આરતી કરી. કાશી વિશ્વનાથ મંદિરમાં માથું નમાવ્યું, તો કાલભૈરવની વિશેષ પૂજા કરી. વારાણસી કોર્ટ પાસે રામ આસરે વાટિકામાં વકીલો સાથે વાતચીત કરી. માત્ર જનતા જ નહીં, પરંતુ તેમણે વકીલો સાથે પણ અલગથી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી વકીલોની પ્રાથમિકતામાં અને વકીલો તેમની પ્રાથમિકતામાં છે. જેપી નડ્ડા ગોદૌલિયામાં ફર્યા, ચા પીધી ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાએ કાશીમાં 5 કાર્યક્રમમાં જનતા સાથે સંવાદ કર્યો. તેમણે પૂજારીઓ, અર્ચકો અને અગ્રણી ધાર્મિક નેતાઓ સાથે વાતચીત કરી. ફેડરેશન ઓફ ઈન્ડિયન વીવર્સ એન્ડ આર્ટિસન્સના ચોકઘાટ ખાતે સાંસ્કૃતિક સંકુલમાં કારીગર વણકર સંમેલનમાં ભાગ લીધો હતો. જેપી નડ્ડાએ કહ્યું હતું કે એક સમય હતો, જ્યારે અમારા વણકર ભાઈઓની હાલત દયનીય હતી. હવે વારાણસી સાથે વણકરોનાં સપનાંનું ચિત્ર બદલાઈ રહ્યું છે. જેપી નડ્ડાએ કામદારો સાથે ગોદૌલિયા ખાતે ચા પીધી, ઘાટની આસપાસ ફર્યા અને સામાન્ય દુકાનદારોને મળ્યા. રાજનાથ સિંહ વારાણસીથી પૂર્વાંચલ પહોંચ્યા
રાજનાથ સિંહે વારાણસીને કેન્દ્ર બનાવીને સમગ્ર પૂર્વાંચલને સાધ્યું હતું. કાશીની એક હોટલમાં બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો, તો સેવાપુરીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્થાનિક સ્તરે ઘણા લોકોને મળ્યા. રાજનાથ સિંહે પૂર્વાંચલના આઝમગઢ, લાલગંજ, ચંદૌલી અને રોબર્ટ્સગંજમાં સભાઓ કરી હતી. પીયૂષ ગોયલે ચા પીધી, મોર્નિંગ વોક કર્યું કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મોર્નિંગ વોકર્સ સાથે મુલાકાત કરી હતી. વેપારીઓ સાથે વાત કરી. ઉદ્યોગપતિઓ સાથે ચા પીધી અને પ્રબુદ્ધ પરિષદમાં હાજરી આપી. તેમનો ઉદ્દેશ દરેક નારાજ વેપારીને મનાવવાનો હતો. તેમને ધંધા-રોજગારની સમસ્યાઓ ઘટાડવાની ખાતરી આપી હતી. દેવેન્દ્ર ફડણવીસ મરાઠી સમાજ વચ્ચે પહોંચ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને મરાઠી લોકો એટલે કે મહારાષ્ટ્રના મતદારોને સાધવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે સતત મરાઠી સમાજના વિસ્તારોની મુલાકાત લીધી અને જનસંપર્ક, સંવાદ અને મત માટે અપીલ કરી. સમાજના શ્રદ્ધાળુઓ સાથે તેઓ જંગંબડી મઠ, સંકટ મોચન મંદિર, વિશ્વનાથ મંદિરે પણ ગયા હતા. સ્મૃતિ ઈરાનીનો મહિલાઓને મનાવવાનો પ્રયાસ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહિલા જૂથ જય શ્રીકૃષ્ણ ગ્રૂપ ઓફ આંત્રપ્રિન્યોર્સની મહિલાઓ સાથે વાતચીત કરી. શિવપુરમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સાથે જનસભા કરી. ગુરુવારે પણ શહેરનાં મુખ્ય સ્થળોએ મહિલાઓને PMની તરફેણમાં મતદાન કરવા માટે પ્રેરિત કરી હતી. એસપી સિંહ બઘેલે 20 કાર્યક્રમમાં ભાગ લીધો કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે છેલ્લા 5 દિવસથી કાશીમાં 20 કાર્યક્રમમાં ભાગ લીધો છે. પાલ, ધનગર સમાજને સાધવા માટે તેમને ઉતારવામાં આવ્યા છે. ડોક્ટરો ઉપરાંત તેઓ મીડિયા મેનેજમેન્ટમાં પણ વ્યસ્ત છે. યાદવ મતદારોને રીઝવવા એમપીના મુખ્યમંત્રી મેદાનમાં ઊતર્યા વારાણસીમાં યાદવ મતદારો માટે ભાજપે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવને ઉતાર્યા છે. તેમણે બનારસમાં ઘણી સભાઓ કરી. સર ગોવર્ધનપુર સભા, મહિલા સંવાદ, પાર્ટીમાં બેઠક, પ્રભાવશાળી યાદવ નેતાઓને મળ્યા. મોહન યાદવે ત્રણ જાહેરસભામાં યાદવ સમુદાયને કાશીના સાંસદ નરેન્દ્ર મોદી માટે નવો રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો. તેજસ્વી સૂર્યાએ પદયાત્રા કરીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા બીજેવાયએમના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કાશીના યુવાનો સાથે વાતચીત કરી. યુવાનો સાથે સરદાર પટેલ પ્રતિમાથી રુદ્રાક્ષ સુધી પદયાત્રા કરી હતી. રુદ્રાક્ષમાં જાગૃતિ કાર્યક્રમ ઉપરાંત અનેક નાની-મોટી સભાઓ યોજાઈ હતી. યુવાનોને મતદાન કરવા અપીલ કરી હતી. દક્ષિણ ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા. સી.આર.પાટીલ ગુજરાતીઓ વચ્ચે પહોંચ્યા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલે ગુજરાતીઓ સાથે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે ગુજરાતી સમુદાયને મોદીને મત આપીને જિતાડવાની અપીલ કરી હતી. એ જ સમયે તેઓ પેજ પ્રમુખોને મળ્યા અને તેમને બૂથ પર મતદાનનું સંચાલન શીખવ્યું. માધવી લતા મુસ્લિમોની વચ્ચે પહોંચ્યાં
હૈદરાબાદથી લોકસભાનાં ઉમેદવાર માધવી લતાએ મુસ્લિમ વિસ્તારોમાં પહોંચીને મોદીને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે મહિલાઓ અને છોકરીઓને પણ હાર પહેરાવ્યા હતા. મહિલાઓએ તેમને તિલક લગાવી આરતી પણ કરી હતી. શાહે વિશ્વાસુ નેતાઓને મેનેજમેન્ટની જવાબદારી સોંપી
ભાજપની ટોચની નેતાગીરી પીએમ નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીતમાં વ્યસ્ત છે. અમિત શાહ સાથે સંગઠન પણ સક્રિય છે. સુનીલ બંસલ ચૂંટણી પ્રબંધન માટેની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. શાહના વિશ્વાસુ અશ્વિની ત્યાગી લોકસભાનું સંકલન સંભાળી રહ્યા છે. પૂર્વ મંત્રી ડો.સતીશ દ્વિવેદી લોકસભાના પ્રભારી તરીકે બૂથ સંવાદ કરી રહ્યા છે. કાનપુર સ્નાતક વિભાગના MLC અરુણ પાઠક જિલ્લા અને મહાનગરોમાં સંપર્ક કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે મરાઠી, ગુજરાતી, બંગાળી, મહેશ્વરી, મારવાડી, તમિલ, પંજાબી વગેરે સમુદાયોના લોકોમાં લોકસભાના સંયોજક સુરેન્દ્ર નારાયણ સિંહ, MLC હંસરાજ વિશ્વકર્મા, કાશી પ્રદેશ પ્રમુખ દિલીપ પટેલ, મહાનગર પ્રમુખ વિદ્યાસાગર રાય, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ડો.નીલકંઠ તિવારી વ્યસ્ત છે. આ સ્થાનિક નેતાઓ પર પણ મોટી જવાબદારી
સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રી રવીન્દ્ર જયસ્વાલ અને ડૉ.દયાશંકર મિશ્ર દયાલુ, જિલ્લા અને મહાનગર પ્રભારી અરુણ પાઠક, મેયર અશોક તિવારી, ધારાસભ્ય સૌરભ શ્રીવાસ્તવ, ડૉ. અવધેશ સિંહ, સુનીલ પટેલ, સુશીલ સિંહ, રમેશ જયસ્વાલ, MLC અશોક ધવન, જિલ્લા પંચાયત પ્રમુખ પૂનમ મૌર્ય, પૂર્વ સાંસદ ડૉ. રાજેશ મિશ્રા, એમએલસી ધર્મેન્દ્ર રાય, રાજેશ ત્રિવેદી, પૂર્વ મેયર રામગોપાલ મોહલે અને મૃદુલા જયસ્વાલ, કૌશલેન્દ્ર સિંહ પટેલ, ચેતનારાયણ સિંહ, રાજેશ ત્રિવેદી, લોકસભાના સહ-સંયોજક રાહુલ સિંહ, પ્રદેશ મીડિયા પ્રભારી નવરતન રાઠી, સહ-મીડિયા પ્રભારી સંતોષ સોલાપુરકર, સુરેશ સિંહ, વંશ નારાયણ પટેલ, સંજય સિંહ, નવીન કપૂર, સંજય સોનકર અને પ્રવીણ સિંહ ગૌતમ સહિત પાંચેય વિધાનસભા સંયોજકોને જવાબદારી સોંપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.