રાજકોટ મનપાના ઈજનેર વાય.કે. ગોસ્વામીનું રાજીનામું કરાયું મંજૂર - At This Time

રાજકોટ મનપાના ઈજનેર વાય.કે. ગોસ્વામીનું રાજીનામું કરાયું મંજૂર


રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ એક બાદ એક અધિકારી અને કર્મચારીઓ રાજીનામાં આપી રહ્યા છે. અત્યાર સુધીમાં મનપામાં કુલ 15 જેટલા અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજીનામાં કે સ્વૈચ્છીક નિવૃત્તિ માટેની અરજીઓ કરવામાં આવી છે. જેને લઈને સ્ટાફની સતત કમી સર્જાઈ રહી છે. ત્યારે મ્યુ. કમિશ્નરે મનપાનાં સિટી ઈજનેર વાય કે ગોસ્વામીનું રાજીનામું મંજુર કરતા વધુ એક ઇજનેરની ખોટ પડશે.
વાય. કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, છેલ્લા 33 વર્ષ કરતા પણ વધુ
સમયથી તેઓ મનપામાં ફરજ બજાવી રહ્યા છે અને હવે તેમની નોકરીમાં માત્ર દોઢેક વર્ષ જેટલો સમય જ બાકી છે. છતાં હાલ કેટલાક અંગત કારણોસર તેમણે રાજીનામુ આપ્યું છે. આટલા વર્ષો દરમિયાન રાજકોટ મનપામાં વિવિધ કામગીરી કરીને એવોર્ડ જીત્યા છે. અને અત્યાર સુધીનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. રાજીનામુ મંજુર થયા બાદ પણ તે અન્ય કોઈ કામગીરી કરવાના નથી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.