સંતરામપુર તાલુકાના ગામડી ખાતે નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકશ્રી પર્વતભાઈ નાનાભાઈ બારીયાના વયનિવૃત્તિ સન્માન સમારોહયોજાયો. - At This Time

સંતરામપુર તાલુકાના ગામડી ખાતે નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકશ્રી પર્વતભાઈ નાનાભાઈ બારીયાના વયનિવૃત્તિ સન્માન સમારોહયોજાયો.


સંતરામપુર તાલુકાના ગામડી મુકામે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકશ્રી પર્વતભાઈ નાનાભાઈ બારીયાના વયનિવૃત્તિ સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહી વય નિવૃત્તિ બાદનું જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી.

આ તકે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે. પી. પટેલ, જીલ્લા પ્રમુખશ્રી દશરથભાઈ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ વળવાઈ, APMC ના ચેરમેનશ્રી શાંતિલાલ પટેલ, લુણાવાડાના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, શ્રી સચિનભાઈ શાહ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- એ એચ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.