રાજુલા ગોવર્ધનનાથજી હવેલી ખાતે ત્રિવિધ કાર્યકમ નું આયોજન - At This Time

રાજુલા ગોવર્ધનનાથજી હવેલી ખાતે ત્રિવિધ કાર્યકમ નું આયોજન


રાજુલા ગોવર્ધનનાથજી હવેલી ખાતે ત્રિવિધ કાર્યકમ નું આયોજન

રાજુલા ગોવર્ધનનાથજી હવેલી ખાતે વર્ષો બાદ ત્રિવિધ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આ હવેલી ખાતે પાટોત્સવ તેમજ શ્રી વલ્લભ સદન નામકરણ અને સાથે સાથે લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન તારીખ ૦૨.૦૭.૨૦૨૪ નાં રોજ આ સમગ્ર કાર્યકમ ધામધૂમથી ઉજવવામાં આવશે આ મંગલ દિવસે રાજુલા હવેલી ના ઉપર ના ભાગે નવીનીકરણ તેમજ જીણોધાર નું કાર્ય પ.ભ. માતૃશ્રી જીવીબેન ચત્રભુજ ભાઈ રાયચા તથા શ્રીમતી નીલાબહેન મહેન્દ્રભાઈ રાયચા નાં અનુદાન થી સંપન થયેલ હોય અને તેમનું શ્રી વલ્લભ સદન નામાકરણ તેમજ લોકાર્પણ વિધિ રાજુલા હવેલીના ગાદીપતિ પૂ.પા.ગો.૧૦૮ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી (શ્રીરાંજુબાવા) ના વરદ હસ્તે રાખવામાં આવે છે આ પ્રસંગે અમૂલ્ય અવસરે સર્વ વૈષ્ણવોને પધારવા રાજુલા હવેલી ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે આ પ્રસંગે નિત્ય દર્શન. પલનામા નંદ મહોત્સવ રાજભોગ માં તિલક આરતી તેમજ બ્રહ્મ સબંધ તેમજ શયનમાં ફુલના બંગલામાં ઠાકોરજીના દર્શન તેમજ શ્રી વલ્લભ સદન લોકાર્પણ કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન આ હવેલી ખાતે રાખવામાં આવેલ છે આ કાર્યકમ સફળ બનાવવા માટે રસિકભાઈ પારેખ તેમજ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો ભારતીય ઉઠાવી રહ્યા છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.