પત્ની છોડીને જતી રહેતાં તેના વિરહમાં 32 વર્ષીય યુવકનો ઝેરી દવા પી આપઘાત - At This Time

પત્ની છોડીને જતી રહેતાં તેના વિરહમાં 32 વર્ષીય યુવકનો ઝેરી દવા પી આપઘાત


રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ પર ગ્રીનપાર્ક શેરીમાં પત્ની છોડીને જતી રહેતાં તેના વિરહમાં 32 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારે આધારસ્તંભ એકનો એક પુત્રના ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ પર ગ્રીનપાર્ક શેરી નં.6 માં રહેતાં મયુર ચંદુભાઈ દાવડા (ઉ.વ.32) એ ગઈકાલે સવારે નવ વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમની મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક સબમર્શિબલના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. તેને એક વર્ષ પહેલાં શીતલ છાંયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ બંનેએ પ્રેમ લગ્ન કરી લીધાં હતાં. બંનેનો ઘરસંસાર વ્યવસાય ચાલતો હતો. તે દરમિયાન તેની પત્ની તેને છોડીને અચાનક ક્યાંક ચાલી ગઈ હતી. જે વિરહ તે સહન ન કરી શકતાં અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. મૃતક એક ભાઈ એક બહેનમાં નાનો અને પરિવારનો આધારસ્તંભ હતો. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.