રાજકોટનાં ત્રિકોણબાગે હિન્દુ સંગઠનોનાં સૂત્રોચ્ચાર, હિન્દુ-હિંસક વિધાનને લઈ પોસ્ટરો સળગાવી માફીની માગ - At This Time

રાજકોટનાં ત્રિકોણબાગે હિન્દુ સંગઠનોનાં સૂત્રોચ્ચાર, હિન્દુ-હિંસક વિધાનને લઈ પોસ્ટરો સળગાવી માફીની માગ


સંસદમાં રાહુલ ગાંધીએ ‘હિન્દુ-હિંસક’ના ઉચ્ચારેલા વિધાનો સામે ઠેર-ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં ભાજપ દ્વારા કિસાનપરા ચોકમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા હતા. અને ત્રિકોણબાગ ખાતે વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં રાહુલ ગાંધીના પોસ્ટરો સળગાવી તેમની માફીની માગ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.