જામનગરમાં ઈનોવા કાર ડિવાઈડર કુદી જતાં ઉંધોઅકસ્માત ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા - At This Time

જામનગરમાં ઈનોવા કાર ડિવાઈડર કુદી જતાં ઉંધોઅકસ્માત ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા


જામનગરમાં ઈનોવા કાર ડિવાઈડર કુદી જતાં ઉંધોઅકસ્માત

ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા

જામનગર

શહેરમાં આજે સવારે સમર્પણ સર્કલ નજીક સ્વામી નારાયણ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયાથી જામનગર તરફ આવી રહેલી GJ 16 AM 3387 નંબરની ઈનોવા કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરના ડિવાઈડરને કૂદીને રોંગ સાઈડમાં ઉંધી પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાલક સહિતના તમામ મુસાફરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, કાર ચાલકે કદાચ વધુ ઝડપે વાહન ચલાવ્યું હશે અથવા તો તેને નિદ્રા આવી ગઈ હશે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ટ્રાફિકને વહેલી તકે પુનઃસ્થાપિત કરીને ટ્રાફિક જામની સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.