માળીયાના નવા વાંદરવડ ગામે વીજળી પડતા પશુના મૃત્યુ થતાં લાભાર્થીને 1.12 લાખની સહાય - At This Time

માળીયાના નવા વાંદરવડ ગામે વીજળી પડતા પશુના મૃત્યુ થતાં લાભાર્થીને 1.12 લાખની સહાય


જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના નવા વાંદરવડ ગામે બે દિવસ પહેલા સારા વરસાદ દરમિયાન વીજળી પડતા પશુપાલક મોકાભાઈ પાલાભાઈ કેશોદાના ચાર પશુ જેમા ત્રણ ભેસ અને એક ગાયનું મૃત્યુ થયું હતું.આ બાબતની સ્થાનિક તંત્રને જાણ થતા પશુપાલકને જરૂરી અરજી કરાવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સરકારના ધારાધોરણ મુજબ રૂ.૧,૧૨,૫૦૦ની સહાયનો ચેક બનાવના આદેશ બાદ બીજા દિવસે પશુપાલકોને પશુ મૃત્યુ સહાય ચૂકવાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.