જસદણના સર્વ સમાજ માન્ય સામાજિક યુવાન સંદીપભાઈ ઉર્ફે બાલાભાઈ છાયાણી નુ અવસાન થતા તેમના મિત્ર વર્તુળમાં શોક ની લાગણી ફેલાય છે - At This Time

જસદણના સર્વ સમાજ માન્ય સામાજિક યુવાન સંદીપભાઈ ઉર્ફે બાલાભાઈ છાયાણી નુ અવસાન થતા તેમના મિત્ર વર્તુળમાં શોક ની લાગણી ફેલાય છે


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણના માનવ ધર્મને વરેલા અને અઢારે વર્ણ સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળેલા યુવાન સંદીપભાઈ ઉર્ફે બાલાભાઈ છાયાણીનું અવસાન થતાં તેમના મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાય છે. સંદીપભાઈ વિનુભાઈ છાયાણી ઉર્ફે બાલાભાઈ કે જેવો વાડી ભોજન અને પ્રોગ્રામ માં શાક બનાવવાની તેમની કુશળતા હતી. તેમના હાથનું ભોજન જસદણ પંથકના સારા સારા નેતાઓ, ઉધોગપતિઓ, ડોક્ટરો, બિલ્ડરો સહિત તેમના હાથના ભોજનનો સ્વાદ માણેલ છે. અને બાલાભાઈ તમામ સમાજ સાથે અને માનવ ધર્મ ના આગ્રહી હતા. આખા જસદણ શહેર પંથકમાં તેમનુ કોઈ દુશ્મન જ ન હતું. તેવા બાલાભાઈને આજે વહેલી સવારે અચાનક પ્રાણ ઘાતક હાર્ડ એટેક આવતા તેમનું અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમેશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે તેમના બોહળા મિત્ર વર્તુળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. સદગતનું બેસણું તેમના નિવાસ્થાન ગંગા ભુવન સરદાર પટેલ નગર શેરી નંબર 1 ખાતે રાખેલ છે. ઓમ શાંતિ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.