કોલકાતા રેપ-મર્ડર કેસ, જુનિયર ડોક્ટરોની હડતાળ ચાલુ:રાજ્યપાલે કહ્યું- મમતા લેડી મેકબેથ, હું સામાજિક બહિષ્કાર કરીશ; CBIએ આરોપી સંજયના દાંતના નિશાન લીધા - At This Time

કોલકાતા રેપ-મર્ડર કેસ, જુનિયર ડોક્ટરોની હડતાળ ચાલુ:રાજ્યપાલે કહ્યું- મમતા લેડી મેકબેથ, હું સામાજિક બહિષ્કાર કરીશ; CBIએ આરોપી સંજયના દાંતના નિશાન લીધા


કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટની રાત્રે તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યા વિરુદ્ધ જુનિયર ડોક્ટરોનું પ્રદર્શન ચાલુ છે. 12 સપ્ટેમ્બરે ત્રીજી વખત મમતા સરકાર અને ડોક્ટરો વચ્ચે ચર્ચા થઈ શકી ન હતી. CM મમતા સચિવાલય નબન્નામાં બે કલાક રાહ જોતા રહ્યા, પરંતુ ડોક્ટરો મીટિંગના લાઈવ ટેલિકાસ્ટની માગ પર અડગ રહ્યા. જ્યારે ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે મમતાએ રાજીનામું આપવાની ઓફર કરી. જો કે, જુનિયર તબીબોએ કહ્યું હતું કે, તેઓ સરકાર સાથે મંત્રણા ન કરી શકવાથી દુઃખી છે, પરંતુ તેઓ મમતા બેનર્જીનું રાજીનામું ઈચ્છતા નથી. તેઓ હજુ પણ વાતચીત માટે તૈયાર છે. આ સમગ્ર ઘટના બાદ બંગાળના ગવર્નર આનંદ બોઝે એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, મમતા બંગાળની લેડી મેકબેથ છે. તે દરેક મોરચે નિષ્ફળ રહી છે, તેથી હું તેનો સામાજિક બહિષ્કાર કરીશ. CBIએ મુખ્ય આરોપી સંજયના દાંતના નિશાન લીધા CBIએ ગુરુવારે (12 સપ્ટેમ્બર) મુખ્ય આરોપી સંજય રોયના દાંતના નિશાન લીધા. બળાત્કાર-હત્યા કેસમાં પુરાવા તરીકે રોયના દાંતના નિશાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેઇની ડોક્ટરના શરીર પર કરડવાના નિશાન હતા, જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઉલ્લેખ હતો. CBI તે નિશાનોને સંજયના દાંતના નિશાન સાથે જોડી દેવા માગે છે. 12મી સપ્ટેમ્બરના વિરોધ પ્રદર્શનની તસવીરો... રાજ્યપાલે કહ્યું- હું મમતા સાથે સ્ટેજ શેર નહીં કરું
મમતા બેનર્જીની પ્રેસ કોન્ફરન્સ બાદ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે, બંગાળ સમાજ સાથે એકતામાં હું મુખ્યમંત્રીનો સામાજિક બહિષ્કાર કરવાનો સંકલ્પ કરું છું. આનો અર્થ એ છે કે હું તેમની સાથે કોઈ સાર્વજનિક પ્લેટફોર્મ શેર કરીશ નહીં. તેમજ મુખ્યમંત્રી ભાગ લે તેવા કોઈપણ જાહેર કાર્યક્રમમાં હું ભાગ લઈશ નહીં. રાજ્યપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે. રાજ્યપાલે એમ પણ કહ્યું- મમતા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે. તે વ્યંગાત્મક છે કે પશ્ચિમ બંગાળની લેડી મેકબેથ હુગલીના પાણીને પકડી રાખે છે, પરંતુ પોતાના દૂષિત હાથ સાફ કરી શકતી નથી. ગૃહમંત્રી પણ મુખ્યમંત્રી છે અને સુરક્ષા આપવાને બદલે મુખ્યમંત્રી વિરોધ કરી રહ્યા છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું- વિરોધ કરનારા ડોક્ટર બનવા માટે યોગ્ય નથી
અહીં, પીડિતને ન્યાય મેળવવા માટે છેલ્લા 33 દિવસથી વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને TMC સાંસદ દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. સાંસદ કલ્યાણ બેનર્જીએ જુનિયર ડોક્ટરોની ટીકા કરી હતી. તેને અમાનવીય અને ડોક્ટર બનવા માટે અયોગ્ય ગણાવ્યો. તેમજ રાજ્ય સરકારને કહ્યું કે, વિરોધ કરી રહેલા ડોક્ટરોને અંતિમ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવે. લાખો દર્દીઓના જીવ જોખમમાં મુકીને છેલ્લા એક મહિનાથી આંદોલન ચલાવી રહેલા તબીબોને ડોક્ટર બનવા લાયક નથી. હું સમજી શકતો નથી કે આ ડોક્ટરો આટલું અમાનવીય વર્તન કેવી રીતે કરી રહ્યા છે. કલ્યાણ બેનર્જી, TMC રાજ્યસભા સાંસદ CM મમતાએ કહ્યું હતું- હું રાજીનામું આપવા તૈયાર છું, ભાજપે કહ્યું- સ્વાસ્થ્ય મંત્રી પદ છોડો
વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટર સાથે ચર્ચા ન કરી શકતાં મમતાએ રાજીનામું આપવાની ઓફર કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર-હત્યાનો કેસ કોર્ટમાં છે, આવી સ્થિતિમાં અમે આ મીટિંગના લાઈવ સ્ટ્રીમિંગને મંજૂરી આપી શકીએ નહીં. અમે આ મીટિંગનું વીડિયો રેકોર્ડિંગ કરવાની તૈયારી કરી હતી, જો ડોક્ટરો ઇચ્છતા હોત તો અમે સુપ્રીમ કોર્ટની પરવાનગી લઈને તેમની સાથે આ રેકોર્ડિંગ શેર કર્યું હોત. જો કે મમતાની આ વાત પર ભારતીય જનતા પાર્ટીના રૂપા ગાંગુલીએ આજે ​​CMને રાજીનામું આપવાની અપીલ કરી છે. ગાંગુલીએ કહ્યું કે, દિવસની શરૂઆત સારા સમાચારથી કરો. ઓછામાં ઓછું આરોગ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.