પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ દ્વારા લોકોની જાગૃતતા માટે અનોખી પહેલ - At This Time

પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ દ્વારા લોકોની જાગૃતતા માટે અનોખી પહેલ


સંસ્થાના સભ્ય બાવકુભાઈ ગીડા ના દીકરા સત્યજીતભાઈ નું શ્રાદ્ધના દિવસે સૌ સમિતિના સભ્ય સાથે જઈ અને મધ્યમ વિસ્તારના નાના નાના બાળકોને આશીર્વાદ પ્રસાદ આપવામાં આવ્યો હતો. જીવનમાં પ્રભુ આપણને ઘણું બધું આપ્યું છે અને ઘણું બધું શીખવાડયું છે પ્રભુએ આપેલું અને પ્રભુએ અમુક એવા લોકોને સહભાગી બનીએ તો જ પ્રભુ આપણી ઉપર મીઠી નજર રાખતા હોય છે. તેવી વિચારધારા સાથે પ્રભુ સદભાવના સેવા સમિતીના દ્વારા અવારનવાર સેવા કાર્ય થતા હોય છે. પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ સમિતિના સક્રિય સભ્ય બાવકુભાઈ ગીડા ના દીકરાના શ્રાદ્ધ નિમિત્તે એક અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી. છેવાડાના નાના બાળકોને પ્રભુ પ્રસાદ રૂબરૂ જઈને આપવામાં આવ્યો હતો. જેમાં સમિતિના ટાઈમ હોય તે સભ્યો હાજર રહેલા હતા. ઈશ્વર તેમના દીકરાને સદગતિ આપે અને તેમના પરિવારને નિરોગી રાખે તેવી પ્રાર્થના પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.