અટલ સરોવર ખોલવા માટે મહાનગરપાલિકાની કવાયત શરૂ - At This Time

અટલ સરોવર ખોલવા માટે મહાનગરપાલિકાની કવાયત શરૂ


રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ફાયર એનઓસી વિનાની અને રીન્યુ ન હોય તે પ્રકારના શાળા, કોલેજો ઉપરાંત ભરવા ફરવાના સ્થળોને પણ સીલ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન અટલ સરોવર પણ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ અટલ સરોવરમાં ફૂડ કોર્ટ સિવાય ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું પડે તેવો એક પણ વિભાગ ન હોય હવે અટલ સરોવર ખોલવા માટે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને અટલ સરોવરના અધૂરા પ્રોજેક્ટ પૂરો કરવા માટે કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.