મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્પર્ધા અને ચોપડા વિતરણ કરાયું - At This Time

મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્પર્ધા અને ચોપડા વિતરણ કરાયું


મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્પર્ધા અને ચોપડા વિતરણ કરાયું

અમદાવાદ મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંસ્થા-જાયન્ટ્સ અમદાવાદ મેઈન સહિયર- લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ-ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી લાયન ગિરીશ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર લાયન્સ ઇન્ટરનેશનલ,વીણાબેન પટેલ જાયન્ટ્સ અમદાવાદ મેઈન સહિયર,ગાયત્રી પરિજનો,સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનના સ્ટાફ મિત્રો તથા સૌ આમંત્રિતોની ઉપસ્થિતમાં ગાયત્રી જ્યંતિ-ગંગા દશેરા પૂજન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ્ય સ્થાપક પ.પૂજ્ય ગુરુદેવ પં.શ્રીરામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ નિમિત્તે તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી મનોદિવ્યાંગ બાળકોના વિદ્યાભ્યાસનો શુભારંભ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા સરસ્વતી પૂજન-વિદ્યારંભ સંસ્કાર-ગંગા પૂજન ગાયત્રી દિપયજ્ઞના માધ્યમથી અખબાર નગર સર્કલ નજીક,નવાવાડજ વિસ્તારમાં સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યો હતો તથા સંચાલક ચંદ્રસિંંહ ચૌહાણના માર્ગદર્શનમાં ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન તથા દરેક બાળકને કુલસ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ ભોજન દ્વારા બાળકોને ખુશ તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.