શિક્ષણ જગત શર્મસાર! જસદણના આંબરડીની જીવનશાળાની હોસ્ટેલના ગૃહપતિ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ
હોસ્ટેલમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કેસ મામલે ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
રાજ્યમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પર અત્યાચારનાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો અમુક બાળકોના વાલીઓ પોલીસ મથકે ફરિયાદ કરતા હોય છે. જ્યારે અમુક વાલીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળાની હોસ્ટેલમાં ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ થયો છે. ગુરૂપતિ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી વધુ એક ઘટનાં સામે આવી છે. આંબરડી જીવનશાળાની હોસ્ટેલમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ. જસદણના આંબરડી જીવનશાળાની હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે ફરિયાદ નોંધાઈ છે. જસદણ પોલીસે પોકસો, એટ્રોસિટી સહિત કલમો નોંધી તપાસ શરૂ કરી છે. આંબરડી ગામની જીવનશાળા હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડીયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ છે. 14 વર્ષના વિદ્યાર્થી સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જર્જરિત રૂમમાં લઈ જઈને નગ્ન કરતો હોવાનો પણ વિદ્યાર્થીઓનો આરોપ છે. પીડિત વિદ્યાર્થીએ પોતાના વાલીને જણાવતા થયો ખુલાસો. પીડિત વિદ્યાર્થીએ પોતાના વાલીને જણાવતા સમગ્ર મામલે ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આચાર્યને ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. લંપટ શિક્ષકએ ગુરૂ શબ્દને લજવ્યો. કહેવાય છે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પરંતુ આ કલંકિત શિક્ષકોએ ગુરૂ શબ્દને લજવ્યો છે. સમાજમાં મા પછી જો કોઈ બીજા ગુરુ હોય તો એ શિક્ષક છે. પરંતુ આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે જસદણમાં ગૃહપતિ અને આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે જસદણ પોલીસે એક આરોપી કિશનની ધરપકડ કરી છે એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
