પત્નીએ કહ્યું ‘તું તારી માને કુહાડીથી માર’ ઉભાગર પુત્રએ જનેતાને કુહાડીનો ઘા ઝીંકી દીધો. - At This Time

પત્નીએ કહ્યું ‘તું તારી માને કુહાડીથી માર’ ઉભાગર પુત્રએ જનેતાને કુહાડીનો ઘા ઝીંકી દીધો.


માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામે રહેતા જયાબેન વીરાભાઈ મકવાણા ઉ. વ. ૬૫ અને પતિએ તેમની ખેતીની જમીનના ભાગ પાડી બંને દીકરાને આપી દીધી હતી અને જીવન નિર્વાહ માટે બંને પુત્ર પાસે નાણા લેવાનું નક્કી કર્યું હતું. આ બાબતનું મનદુઃખ રાખી પાડોશમાં રહેતો નાનો પુત્ર જયસુખ અને તેની પત્ની ભાવનાએ ઘરની બહાર નીકળી જતા જયાબેન સાથે કરી હતી અને પુત્રવધુ ભાવનાએ તેના પતિ જયસુખને 'તારી માને કુહાડીથી માર' તેમ કહેતા જયસુખે તેની માતાને કુહાડીનો એક ઘા મારી ડાબા હાથમાં ઈજા કરતા વૃદ્ધાને માં ળિયા અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે વૃદ્ધાની ફરિયાદ લઈ પુત્ર અને પુત્રવધુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ માળિયાના હેડ કોન્સ્ટેબલ પી. એસ. કરમટા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.