શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળાના સંચાલક દિપકભાઈ સોલંકી દ્વારા અસ્થિર મગજના વ્યક્તિને લાખેણી થી પ્રયાગરાજ પોતાના ઘરે પહોચાડીને લોકોમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ. - At This Time

શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળાના સંચાલક દિપકભાઈ સોલંકી દ્વારા અસ્થિર મગજના વ્યક્તિને લાખેણી થી પ્રયાગરાજ પોતાના ઘરે પહોચાડીને લોકોમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.


શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળાના સંચાલક દિપકભાઈ સોલંકી કે જેઓ નિસ્વાર્થ ભાવે પોતે લૂલી લંગડી ગાયો તેમજ અન્ય માંદા પશુઓની પોતાની ગૌશાળામાં રાખીને નિસ્વાર્થ પણે સેવા કરે છે . તેઓને આજથી ૨ વર્ષ પહેલા એક મંદબુધ્ધી ના આશરે ૩૫ થી ૪૦ વર્ષ ના ક્રિષ્ના નામના અજાણ્યા વ્યક્તિ મળ્યા હતા. અને તેઓ ભયંકર માંદગી થી પીડાતા હતા. દિપકભાઈ સોલંકીએ પોતાની ગૌશાળામાં લાવીને તેની યોગ્ય સારસંભાળ કરીને સારા કરેલ અને તેને પોતાની ગૌશાળા રાખેલ પરંતુ તે વ્યક્તિ દ્વારા કશી પણ વાત થતી ના હતી તે વ્યક્તિ કોઈને પણ કાય જણાવતા ના હતા. પરંતુ ૧૦-૧૫ દિવસ થી તે વ્યક્તિ ને ગાયોની સેવા કરતા કરતા અચાનક બધું યાદ આવતા દિપકભાઈ સોલંકી દ્વારા તે માહિતી એકત્ર કરીને પ્રયાગરાજ SP કચેરીએ સંપર્ક કરીને માહિતી આપતાં ત્યાના અધિકારીએ કર્મચારીને આ માહિતીની તપાસ સોપેલ હતી .તે તપાશમાં આ વ્યક્તિએ આપેલ તમામ માહિતી સાચી નીકળતા તેના ઘર સુધી સંપર્ક કરવામાં દિપકભાઈ સફળ નીવડતા ત્યાંથી તેના કુટુંબી જનોને બોલાવીને દીપકભાઈ તે અસ્થિર મગજ ના વ્યક્તિને તેના ઘરે પહોચાડવામાં સફળ થયા હતા. ત્યાર બાદ પ્રયાગરાજ થી તે વ્યક્તિના મામા લાલચંદ-૮૫૩૦૭૬૬૬૪૫ તેમજ તેમના ભત્રીજા રાજેશકુમાર-૭૫૨૪૦૩૨૫૨૦ જેઓ આજ રોજ લાખેણી - રોહીશાળા રોડ પર આવેલ શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળાએ પહોચીને ગૌશાળાના સંચાલક દિપકભાઈ સોલંકી ને યોગ્ય પહેચાન આપીને તે વ્યક્તિને પોતાના વતન પરત મોકલી આપેલ છે .

મંદબુધ્ધી ના ક્રિષ્ના નામના વ્યક્તિને તેના કુટુંબીજનો સાથે પરત મોકલવામાં એક નાનકડો કાર્યક્રમ યોજ્યો હતો . તેમજ આ કાર્યક્રમમાં ગૌશાળાના સંચાલક દિપકભાઈ સોલંકી તેમના ઘરના સભ્યો તેમજ ગ્રામજનોએ હાજર રહીને ક્રિષ્ના ને પોતાના ઘરે જવા માટે તેમના મામા તેમજ ભત્રીજા સાથે પોતાના ઘરે (પ્રયાગરાજ) જવા નીકની ગયેલ છે.
મંદબુદ્ધિના ક્રિષ્નાના મામાએ માહિતી આપી હતી કે આ ક્રિષ્ના આજથી ૧૪ વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયેલ છે અને આજે અમે એને ઘરે લય જતા ખુબજ લાગણી અનુભવીએ છીએ. અંતે તેમણે શ્રી વિર વચ્છરાજ ગૌશાળા ના સંચાલક દિપકભાઈ સોલંકી તેમજ ગ્રામજનોનો આભાર માન્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.