રાજકોટના જામનગર રોડ પર નવો ફોરલેન બ્રિજ બનશે, વિવિધ વાહનો માટેનાં વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાતા ટ્રાફિક ઘટ્યો - At This Time

રાજકોટના જામનગર રોડ પર નવો ફોરલેન બ્રિજ બનશે, વિવિધ વાહનો માટેનાં વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાતા ટ્રાફિક ઘટ્યો


રાજકોટનાં જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનાં નવીનીકરણ માટે મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે આજથી સાંઢિયાપુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અગાઉ પ્રાયોગિક ધોરણે પાંચ કલાક માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. જોકે હાલ પોલીસ કમિશનર દ્વારા વિવિધ વાહનો માટેના વૈકલ્પિક ત્રણ રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા હોવાથી હાલ પુલ બંધ કરવા છતાં ટ્રાફિકજામની ખાસ સમસ્યા જોવા મળતી નથી. ત્યારે આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કે નહીં તે જોવું રહ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.