રાજકોટથી ઉદ્યોગકારો હવે 30 સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહિ જાય, ઉત્પાદન અટકાવી દીધું - At This Time

રાજકોટથી ઉદ્યોગકારો હવે 30 સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહિ જાય, ઉત્પાદન અટકાવી દીધું


દિવાળીના ઓર્ડર પણ પ્રભાવિત, આર્થિક વ્યવહારો ખોરવાઇ ગયા

બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી છે. તેેને કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રનો ઉદ્યોગ પ્રભાવિત થયો છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે રો-કોટન, ડાયસ કેમિકલ, રેડિમેઈડ ગાર્મેન્ટ, યાર્ન સહિતના ક્ષેત્રમાં વેપાર થાય છે.જે અંદાજિત વાર્ષિક 1500 કરોડ છે. નવા ઓર્ડર લેવામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ અવઢવમાં છે.વેપારમાં વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે.

રાજકોટથી ઉદ્યોગકારો 30 સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહિ જવા માટેનો નિર્ણય લીધો છે.તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર અને બાંગ્લાદેશમાં ડાયસ કેમિકલનો પ્લાન્ટ ધરાવતા અચ્યુતભાઈ જસાણીએ જણાવ્યું છે. બાંગ્લાદેશ તરફથી જે ઓર્ડર મળ્યા હતા તેના પર થતું કામ અટકાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહિ બાંગ્લાદેશમાં પ્લાન્ટ ધરાવતા ગુજરાતીઓએ ત્યાં પણ ઉત્પાદન અટકાવી દીધું છે. હાલ આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે.જો આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો જે નાણાકીય રોટેશન છે તે અટકી જાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.