ભારતની ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત, 2014 બાદ ટીમ ઈન્ડિયા પહોંચી વર્લ્ડ કપ ફાઈનલમાં - At This Time

ભારતની ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત, 2014 બાદ ટીમ ઈન્ડિયા પહોંચી વર્લ્ડ કપ ફાઈનલમાં


20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં આજે ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યાં હતાં. જેમાં ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીફ ટીમને સારી શરૂઆત કરવા દીધી ન હતી. ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાની 68 રને જીતીને સેમિ ફાઈનલ પોતાના નામે કરી હતી. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને હવે શનિવારે 29 જૂને બાર્બાડોસમાં દ.આફ્રિકા સામે ટકરાશે.
ભારત તરફથી કુલદીપ-અક્ષરે 3-3 વિકેટ લીધી હતી અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.

અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ

ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્વના 10 રન જોડ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.