મુંબઈના ઉલ્લાશ નગર-૫ મા ભાદરવા ચોથ નિમિત્તે કચ્છી મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા મતીયા દેવ ના ધૂપ,પેડી પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું - At This Time

મુંબઈના ઉલ્લાશ નગર-૫ મા ભાદરવા ચોથ નિમિત્તે કચ્છી મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા મતીયા દેવ ના ધૂપ,પેડી પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું


આજરોજ તા. ૨૧/૦૯/૨૦૨૪ શનિવાર ના રોજ ઉલ્લાશ નગર-૫ મુંબઈ ભાદરવા ચોથ નિમિત્તે કચ્છી મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા મતીયા દેવ ના ધૂપ,પેડી પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું જેમા બહોળી સંખ્યા માં લોકો પેડી પ્રસાદ ચડાવી હર્ષ ની લાગણી અનુભવી અને ત્યા મુંબઈના જીલ્લા થાણેના કચ્છી મહેશ્વરી મેઘવાર કમીટી નો હોશલા માં વધારો કાર્યો હતો અને એવો મેસેજ આપ્યો હતો કે અમારો મહેશ્વરી સમાજ એકતા સાથે મુંબઈના જીલ્લા થાણેમાં રહે છે
ત્યારબાદ મહેશસંપ્રદાયના હર મહિસર શ્રી નરેશ ભાભા માતંગ દાદા એ બારઈ, વિનતી, પેડી, તથા ધૂપ કરીને સમસ્ત ભારતમાં વસતા તમામ મહેશ્વરી મેઘવાર ભાઈઓ તથા થાણેમા વસતા મહેશ્વરી સમાજ માટે દાદા પાસે અરદાસ કરી હતી
તે માટે થાણે મહેશ્વરી સમાજ કમીટી દ્વારા નરેશ ભાભા માતંગ દાદા ને સન્માનિત કરીને તેમનો ધન્યવાદ કરવામા આવ્યો હતો તે બદલ થાણે (મુંબઈ) સમાજ કમીટી ના શ્રી રાજેશભાઈ મહેશ્વરી (અધ્યક્ષ) , શ્રી અમિતભાઈ ડોરુ (ઉપ અધ્યક્ષ), શ્રી શંકરભાઈ દનિચા (ખજાનચી), શ્રી રાહુલભાઈ સંજોટ (સેકેટરી), શ્રી ખુશાલભાઈ ધુવા (ઉપ સેકેટરી) તથા સલાહકાર સમિતિના શ્રી કમલેશભાઈ કોચરા, શ્રી મોહનભાઈ સિરોખા, શ્રી શ્યામભાઈ ધુવા, શ્રી કિશોરભાઈ ધુવા, શ્રી હિતેશભાઈ ભોઈયા તથા જે પણ સમાજના ભાઈએ આ કાર્યક્રમ માં હાજરી આપી તે બધાનો થાણે સમાજ કમિટી દ્વારા તહે દિલથી આભાર માન્યો હતો અને આવનારા સમયમાં પણ આવી જ રીતે હર્ષો ઉલ્લાશ થી દાદા ના કાર્યક્રમ માં હાજરી આપી ને શોભા વધારવા ધન્યવાદ કરી ને ફરીથી આભાર માન્યો હતો


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.