પાલીતાણા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું ભુરખિયા હનુમાનજી મંદિરે આગમન - At This Time

પાલીતાણા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું ભુરખિયા હનુમાનજી મંદિરે આગમન


પાલીતાણા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું ભુરખિયા હનુમાનજી મંદિરે આગમન 

દામનગર પાલીતાણા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું ભુરખિયા હનુમાનજી મંદિરે આગમન સને ૧૯૯૯ થી દર વર્ષે નિયમિત યોજાતી પદયાત્રા પાલીતાણા ના ખાખરીયા ગામ થી માત્ર થોડી સંખ્યા માં ભાવિકો સાથે પ્રસ્થાન થઈ રસ્તા માં આવતા અનેકો ગ્રામ્ય માંથી જોડતા શ્રધ્ધાળુ ભાવિકો થી મોટા પદયાત્રા સંધ માં પરિવર્તિત થતો યાત્રાસંધ વિશાળ બની જાય છે આજે વહેલી સવાર થી દામનગર શહેર ના અસંખ્ય પદયાત્રિકો સાથે પ્રસ્થાન થઈ સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં પ્રવેશી દાદા ના દર્શન કરી ધૂન બોલાવતા ભાવિકો બપોર નો મહાપ્રસાદ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લઈ બપોર પછી પ્રસ્થાન થશે દર વર્ષે પાલીતાણા તાલુકા ના ગ્રામ્ય ખાખરીયા કુંભણ બડેલી નવાગામ આકોલાળી હણોલ ધામેલ દામનગર સહિત ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી અસંખ્ય મહિલા ઓ સહિત શ્રધ્ધાળુ ભાવિકો નો વિશાળ પદયાત્રા સંધ પંદર દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શને પહોંચે છે અને ધજારોહણ કરે છે આ પદયાત્રા માં દ્વારકાધીશ મંદિર ના પૂજરા પણ દર વર્ષે સૌરાષ્ટ્ર પધારી પદયાત્રા દરમ્યાન ભાવિકો ને મળે છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.