એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશ શાહની મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય તરીકે નિમણુક થઇ - At This Time

એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશ શાહની મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય તરીકે નિમણુક થઇ


એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશ શાહની મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય તરીકે નિમણુક થઇ

એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશ શાહની મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય તરીકે નિમણુક થઇ છે. ગાય સેવા અને પશુ કલ્યાણ પ્રત્યે મુંબઈથી પરેશ શાહ સતત પ્રયત્નશીલ રહે છે. પરેશ શાહે જણાવ્યું કે તેઓ પોતાના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ દ્વારા ગાય સેવાના ઉમદા હેતુને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ- સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ સાથે પરેશ શાહે પોતાના જીવનમાં અનેક તપસ્યાઓ કરી છે. પરેશ શાહ બી. કોમ, એમ. કોમ અને જર્નાલીઝમનાં અભ્યાસ બાદ 5 પ્રતિક્રમણ, બાળ શિબિર અને યુવા શિબીર પણ કરેલી છે. પરેશ શાહ સમસ્ત મહાજન, જૈન એજ્યુંકેશન અને એમ્પાવર ટ્રસ્ટ, શ્રાવિકા આશ્રમ પાલીતાણા, જૈન વર્લ્ડ સેન્ટર, શ્રી પાર્શ્વનાથ જૈન મૂર્તિપૂજક સંઘ, પિયુષ પાણી ટ્રસ્ટ, જયાબેન ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં ટ્રસ્ટી તેમજ શ્રી સતરા કુટુંબ પરિવાર જૈન સંઘ, બોરના - લીંબડી, ગુજરાત, શ્રી સતરા કુટુંબ પરિવાર જૈન ભક્તિ કેન્દ્ર - બોરના, લીંમડી, ગુજરાત, જિનજ્ઞા સેવા ટ્રસ્ટ – મુંબઈ, શ્રી સંભવનાથ મૂર્તિપૂજક જૈન સંઘ, બોરીવલી, મુંબઈ, શ્રી ઝાલાવાડ જૈન ગ્લોબલ ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં ફાઉન્ડર ટ્રસ્ટી છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.
એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશ શાહની મહારાષ્ટ્ર ગૌસેવા આયોગનાં સભ્ય તરીકે નિમણુક બદલ ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહ, ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય મિત્તલ ખેતાણી, સમસ્ત મહાજનનાં દેવેન્દ્ર જૈન, ગિરીશભાઈ સત્રા, નુતનબેન દેસાઈ સહિતનાઓની ટીમે અભિનંદન પાઠવેલ છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.