ભારતમાં પાક.-શ્રીલંકા જેવા સંકટની શક્યતા નથી : રઘુરામ રાજન - At This Time

ભારતમાં પાક.-શ્રીલંકા જેવા સંકટની શક્યતા નથી : રઘુરામ રાજન


રાયપુર, તા.૩૧ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને રવિવારે સામાજિક મુદ્દાઓ પર બોલતાં દેશમાં શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી ચેતવણી આપી હતી. જોકે, એક દિવસ અગાઉ અન્ય એક મુલાકાતમાં રઘુરામ રાજને વિદેશી હુંડિયામણ (ફોરેક્સ એક્સચેન્જ રિઝર્વ) વધારવામાં આરબીઆઈની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ભારતે ક્યારેય શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. ભારત પાસે પર્યાપ્ત પ્રમાણમાં વિદેશી હુંડિયામણ છે. આપણું વિદેશી દેવું પણ ઓછું છે. આરબીઆઈના લેટેસ્ટ ડેટા મુજબ ૨૨મી જુલાઈના સપ્તાહના અંતે ભારતનું વિદેશી હુંડિયામણ ૫૭૧.૫૬ અબજ ડોલર છે. જોકે, તેમાં ૧.૧૫૨ અબજ ડોલરનો ઘટાડો થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.