લાઠી પંથકના ગ્રીન મેન ઘનશ્યામભાઈ શંકર દ્વારા લાઠી શહેર થી આવતા જતા દરેક દિશા ઓના રસ્તા વૃક્ષો થી લીલા છમ બનાવ્યા - At This Time

લાઠી પંથકના ગ્રીન મેન ઘનશ્યામભાઈ શંકર દ્વારા લાઠી શહેર થી આવતા જતા દરેક દિશા ઓના રસ્તા વૃક્ષો થી લીલા છમ બનાવ્યા


લાઠી પંથકના ગ્રીન મેન ઘનશ્યામભાઈ શંકર દ્વારા લાઠી શહેર થી આવતા જતા દરેક દિશા ઓના રસ્તા વૃક્ષો થી લીલા છમ બનાવ્યા

લાઠી અને આસપાસ નાં સાત ગામ તરફના રસ્તા ઉપર હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને હીરાઉદ્યોગના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ શંકરે લાઠી અને લાઠી પંથકના
દામનગર રોડ પ્રતાપગઢ રોડ લીલિયા રોડ દુધાળા રોડ અમરેલી રોડ કેરિયા રોડ ચાવંડ રોડ.આ સાત ગામો તરફ જતા રસ્તાઓ ઉપર હજારો વૃક્ષોના વાવેતર કરીને લાઠીને ગ્રીનઝોન બનાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે પર્યાવરણ અને લાખો જીવસૃષ્ટિને મોટો ફાયદો મળશે અનેક પશું પંખીના પેટ ભરાશે અને જીવતદાન મળશે
ભવિષ્યમાં હજારો પશુંઓને છાંયડો મળશે વાતાવરણ માં ભરપુર માત્રામાં શુદ્ધ ઓક્સિજન મળશે અને કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ ઓછું થશે.લાઠીમાં વસતા માણસોને સારા વાતાવરણ માં રહેવાનો અને આનંદથી જીવવાનો અહેસાસ થશે વૃક્ષોના વાવેતરથી પર્યાવરણને લગતા અનેક ફાયદા થશે ધર્મની ધજા જ્યારે સતપુરુષોના હાથ માં હોય ત્યારે સમગ્ર સમાજને અજવાળવાનું કામ કરે છે ઘનશ્યામભાઈ શંકરે લાઠી પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજ માં એક ઉત્તમ દ્રષ્ટાંત બેસાડ્યું છે. તેમણે વાવેલા ઝાડવાઓ આવનારી પેઢીને છાંયડો આપશે અને એક યાદગાર સંભારણુ બની રહેશે,આ સુંદર કામની નોંધ સમગ્ર સમાજે લીધી છે, ધરતી માતાને શણગારવા અને હરિયાળી બનાવવાની તેમની પ્રવૃત્તિની યશોગાથા લાઠી પંથક માં હંમેશા તેમની યાદગીરી બનીને રહેશે ઘનશ્યામભાઈ ના શુદ્ધ હસ્તે આ અદભૂત કાર્ય થયું છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે તેમણે ફક્ત વૃક્ષારોપણ જ નથી કર્યુ પણ વૃક્ષોના જતન સંવર્ધન કરવાનો પણ સંકલ્પ કર્યો છે અને યોગ્ય માવજતથી વૃક્ષોનો ઉછેર થઇ રહ્યો છે એનું બરાબર ધ્યાન પણ રાખે છે ૧૫૦ થી ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતા દેશીકુળના અનેક ઝાડ જેવા કે વડલો, પીપળો, પીપર, લીમડો જેવા ૬૩૦૦-ઝાડવા આજે સાત થી આંઠ ફૂટ જેટલા મોટા થઇ ગયા છે પૂજ્ય મોરારીબાપુના શ્રીમુખે માનસ શંકર રામકથાના આયોજન અને કથાની અનેક ગંગોત્રીમાં માં લાઠી પંથકના અનેક ખેડૂતોને ઘનશ્યામભાઈ શંકરે ફળ ફળાદી અને બાગાયતી રોપાનું વિતરણ કર્યું હતું ભવિષ્ય માં લાઠી પંથકના કેટ કેટલાય ખેડુતોના સંતાનો એના મીઠા ફળ ખાશે અને અમિનો ઓડકાર લેશે બાગાયતી ફળોથી ખેડૂતોને સારી આવક થશે. બહુ મોટું પુણ્યનું કામ કરીને તેઓ નિમિત્ત બન્યા છો સતમાર્ગે થી આવેલી લક્ષ્મી જ આવા સત્કાર્યો કરવા માટે નિમિત્ત બને છે. આવા પરોપકારી સત્કાર્યો કરનારા ઘનશ્યામભાઈને જન્મ આપનારા માતૃશ્રી પુરીબેન અને પિતા માવજીબાપાને કોટી કોટી વંદન ભાતીગળ લાખેણી લાઠીના ઈતિહાસ માં ગ્રીન મેન ઘનશ્યામભાઈ શંકરનું નામ અને કામ હંમેશા માટે કંડારાઈ ગયુ છે એનો આનંદ અને રાજીપો સમસ્ત લાઠી પંથકના સમગ્ર સમાજ વતી વ્યક્ત કરવામાં આવે છે. સામુહિક સત્કાર્યો, સામુહિક ધર્મકાર્યોનું પ્રચંડ પૂણ્ય ઘનશ્યામભાઈ ના પરિવારને હમેંશા ખૂબ પ્રગતિ કરાવશે યશ અપાવશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા સમસ્ત માનવ સમાજ દ્વારા આ સરાહનીય પ્રવૃત્તિ પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરાય રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.