ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા પાળિયાદ ખાતે ઠાકર શ્રી વિહળાનાથના તેમજ મહામંડલેશ્વર નિર્મળાબાના દર્શને - At This Time

ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા પાળિયાદ ખાતે ઠાકર શ્રી વિહળાનાથના તેમજ મહામંડલેશ્વર નિર્મળાબાના દર્શને


(અહેવાલ કનુભાઈ ખાચર)
આજરોજ પાળિયાદ ખાતે વિસામણબાપુની જગ્યામા ભાવનગર-બોટાદ લોકસભા ના સાંસદ તેમજ ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ઠાકર શ્રી વિહળાનાથ ના તેમજ ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાના દર્શને આવેલ પૂજ્ય બા અને પૂજ્ય ભયલુબાપુ દ્વારા નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેનનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભાજપ પરિવાર વતી શ્રી નીમુબેન ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા , પૂજ્ય શ્રી ભયલુબાપુ ની પ્રેરક ઉપસ્થિતી રહી હતી આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ , બોટાદ ભાજપ મહામંત્રી શ્રી જામસંગભાઈ , બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર , બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુબેન બારૈયા , બોટાદ apmc ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા , રાણપુર apmc ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ અને સૌ ભાજપ પક્ષના હોદેદારો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યા મા હજાર રહ્યા હતા અને ભાજપ પરિવાર બોટાદ વતી શ્રી નિમુબેનનું સૌ લોકોએ સન્માન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.