નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફના અભાવે ચૈતર વસાવાનો નેત્રંગ તાલુકા ની જનતા માટે મેદાને ઉતર્યા - At This Time

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફના અભાવે ચૈતર વસાવાનો નેત્રંગ તાલુકા ની જનતા માટે મેદાને ઉતર્યા


ભરૂચ ના નેત્રંગ તાલુકા ના અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર કરોડો રૂપિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિમૉણ કરવામાં આવ્યું હતું.પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપુરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી- એક્સ રે મશીન છે.પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનીશિયન કાયમી નથી.ત્રણ ડોક્ટરની જગ્યા વષૉથી ખાલી પડી છે.એક ડોક્ટરના દર્દીઓની સારવાર કરાય છે.જાનહાની ઘટના સજૉય તો સ્લીપરને વાલીયા- અંકલેશ્વરથી લાવવા અને મુકવા જવું પડે છે.તેના કારણે કલાકો સુધી મૃતદેહ રઝરે છે.તેવી રજુઆત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં કોંગ્રેસના શેરખાન પઠાણ-આપના કાર્યકરો સાથે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી.ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે,સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર-સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.૩ ડોક્ટર-સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજુઆત કરાશે,અને ન્યાય નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.