રાહુલ ગાંધી વિરુદ્ધ હેટ સ્પીચ મામલે કોંગ્રેસનું પ્રદર્શન:રેલવે રાજ્યમંત્રી સહિત 4 નેતાઓ સામે પોલીસમાં ફરિયાદ; આઠવલેએ કહ્યું- રાહુલનો પાસપોર્ટ રદ કરો - At This Time

રાહુલ ગાંધી વિરુદ્ધ હેટ સ્પીચ મામલે કોંગ્રેસનું પ્રદર્શન:રેલવે રાજ્યમંત્રી સહિત 4 નેતાઓ સામે પોલીસમાં ફરિયાદ; આઠવલેએ કહ્યું- રાહુલનો પાસપોર્ટ રદ કરો


કોંગ્રેસે બુધવારે દિલ્હી પોલીસમાં BJP અને તેના સાથી પક્ષોના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ નફરતભર્યા ભાષણો આપે છે. કોંગ્રેસ નેતા અજય માકને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ સહિત 4 નેતાઓ વિરુદ્ધ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. માકને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, તેથી કેટલાક લોકો દેશની શાંતિને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે દિલ્હી અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં ભાજપના નેતાઓનો વિરોધ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના વિરોધ વચ્ચે ભાજપ અને અન્ય સહયોગી નેતાએ ફરી રાહુલ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશ જઈને દેશની પ્રતિષ્ઠા ખરાબ કરે છે, તેમનો પાસપોર્ટ રદ થવો જોઈએ. જ્યારે BJP સાંસદ અનિલ બોંડેએ કહ્યું- રાહુલની જીભ કાપવી જોઈએ. ભાજપ અને સહયોગી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ અત્યંત વાંધાજનક અને હિંસક ભાષાનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીને વિનંતી છે કે આવા નેતાઓ પર લગામ લગાવો. - ખડગે, કોંગ્રેસ અધ્યક્ષ. - કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો 17 સપ્ટેમ્બરે પીએમને પત્ર લખ્યો હતો રાહુલ વિરુદ્ધ ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓના 3 નિવેદનો... 1. તરવિંદર સિંહ મારવાહઃ બીજેપીએ 11 સપ્ટેમ્બરે દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બીજેપી નેતા તરવિંદર સિંહ મારવાહ પર રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ બહુ ગંભીર બાબત છે. આ ભાજપની નફરતની ફેક્ટરીની ઉપજ છે. આ અંગે પગલાં લેવા જોઈએ. પીએમ મોદી તેમની પાર્ટીના આ નેતાની ધમકી પર ચૂપ રહી શકતા નથી. 'રાહુલ ગાંધી, સુધરી જા, નહીં તો આગામી દિવસોનાં તારા પણ તારી દાદી જેવા જ હાલ થશ. - તરવિંદર સિંહ, ભાજપ નેતા 2. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુઃ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય નથી. તેને ભારત સાથે પ્રેમ પણ નથી. રાહુલે પહેલા મુસલમાનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેમ ન થયું ત્યારે હવે તે શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે. જે પણ તેમને પકડે છે તેને ઈનામ મળવું જોઈએ કારણ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે. દેશની એજન્સીઓએ તેમના પર નજર રાખવી જોઈએ. ખરેખરમાં, રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું હતું કે શીખ સમુદાયને ભારતમાં એ ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં. કોંગ્રેસનો જવાબઃ કેન્દ્રીય મંત્રીના નિવેદન પર પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે જેણે રાહુલ ગાંધીની સામે જઈને પોતાની રાજકીય કારકિર્દી બનાવી છે, તે સત્તાના લોભમાં વિરોધીઓના ખોળામાં બેસીને વિવાદીત નિવેદનો આપી રહ્યા છે. 3. સંજય ગાયકવાડઃ 16 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી પછાત વર્ગો અને આદિવાસીઓનું અનામત ખતમ કરવા માંગે છે. આ માટે તેને ઈનામ આપવામાં આવશે, જે કોઈ રાહુલની જીભ કાપી નાખશે તેને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. સંજયે એમ પણ કહ્યું કે કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બંધારણ ખતરામાં હોવાનું ખોોટુ નિવેદન આપીને મત મેળવ્યા હતા. આજે તેઓ અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પછાત વર્ગો, ઓબીસી અને આદિવાસીઓનું અનામત ખતમ કરવા માંગે છે. સંજય વિરુદ્ધ બુલઢાણામાં FIR નોંધવામાં આવી છે. 4. યુપીના મંત્રી રઘુરાજ સિંહઃ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે 16 સપ્ટેમ્બરે ઈન્દોરમાં જાહેરમાં કહ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી 'ભારતના નંબર વન આતંકવાદી' છે. રાહુલ ગાંધીના શીખ નિવેદન પર હોબાળો
રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે હતા. ભારતમાં અમાનત ક્યાં સુધી ચાલુ રહેશે તે સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ ત્યારે જ અનામત ખતમ કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તકો મળવા લાગશે. હાલમાં ભારતમાં આવી કોઈ સ્થિતિ નથી." તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં. રાહુલ ગાંધીના આ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો. જો કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. આ સમાચાર પણ વાંચો... 'રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી':રવનીત સિંહે કહ્યું- જે કોઈ રાહુલને પકડે તો તેને ઈનામ મળવું જોઈએ; ધનખડ બોલ્યા- તેમની માનસિકતા બંધારણવિરોધી છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે પણ રાહુલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે અનામત ખતમ કરવા અંગે બંધારણીય પદ પર રહેલી વ્યક્તિની ટિપ્પણી બંધારણવિરોધી માનસિકતા દર્શાવે છે. અનામત યોગ્યતા વિરુદ્ધ નથી, પરંતુ તે દેશ અને બંધારણના આત્મા છે. આ હકારાત્મક વિચારસરણી છે, નકારાત્મક નથી. તે કોઈને તકોથી વંચિત નથી કરી રહ્યા, પરંતુ સમાજને એક મજબૂત સ્તંભ તરીકે સમર્થન આપી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.