રાજકોટ શહેરમાં પરવાનગી વગર ચાર કરતા વધુ લોકોના ભેગા થવા તેમજ સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ - At This Time

રાજકોટ શહેરમાં પરવાનગી વગર ચાર કરતા વધુ લોકોના ભેગા થવા તેમજ સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ


રાજકોટ શહેરમાં પરવાનગી વગર ચાર કરતા વધુ લોકોના ભેગા થવા તેમજ સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ

રાજકોટ તા. ૦૨ જુલાઈ -રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક શોભાયાત્રાઓ અને તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમો તેમજ આતંકવાદી પ્રવૃતિઓને ધ્યાને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે પરવાનગી વગર જાહેર જગ્યા ખાતે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, સભા બોલાવવા કે ભરવા ઉપર અને સરઘસ કાઢવા ઉપર રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ જાહેર કર્યો છે.
આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ આદેશ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યકિતઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નનાં વરઘોડાને લાગુ પડશે નહીં. હુકમનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.