મહીસાગર જિલ્લાના કડાછલા ચોકડી પાસે આવેલ શંતિશાગર તળાવ પર વિદેશી પક્ષીઓ જમાવડો - At This Time

મહીસાગર જિલ્લાના કડાછલા ચોકડી પાસે આવેલ શંતિશાગર તળાવ પર વિદેશી પક્ષીઓ જમાવડો


લુણાવાડા તાલુકાના કડાછલા ગામનું શાંતિસાગર તળાવ કડાછલા ચોકડીથી નજીક બાલાસિનોર -વીરપુર મુખ્ય માર્ગ પર આવેલ છે તળાવની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગના કારણે રોડની બંને બાજુએ રમણીય દ્રશ્ય જોવા મળે છે..તળાવ ખુબ છીછરું છે જે વરસાદના પાણી આધારિત હતું જેનાથી રવી સીઝન દરમિયાન જ ખાલી થઈ જતું હતું..હાલ છેલ્લા ૫ વરસથી સુજલામ સુફલામ્ કેનાલ ની યોજના ના જોડાણ નો લાભ મળતા તળાવ ઉનાળા સુધી ભરાયેલ રહે છે..જેના ફળ સ્વરૂપ છેલ્લા ત્રણ વરસ થી આ સીઝન દરમ્યાન વિદેશી પક્ષીઓનું આગમન થાય છે.અને પાણી ઓછું થતાં વિદેશી પક્ષિઓ પરત ફરી જાય છે..જેવી રીતે નળસરોવરમાં વિદેશી પક્ષીઓની કાળજી લેવામાં આવે છે તે મુજબ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આ શાંતીસાગર તળાવ આકર્ષણ નું કેન્દ્ર બને તેમ છે..

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.