જસદણ માં જગન્નાથજીની રથયાત્રાના તહેવાર બાબતે જસદણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ - At This Time

જસદણ માં જગન્નાથજીની રથયાત્રાના તહેવાર બાબતે જસદણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ


(રીપોર્ટ વિજય ચૌહાણ)
જસદણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા તહેવારની ઉજવણી અષાઢી બીજના દિવસે થનાર છે જેની જસદણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ મીટીંગ રાખવામાં આવેલી હતી 04/07/2024 ના દિવસે જસદણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી દિવસોમાં તારીખ 7/7/2024 ના રોજ હિન્દુ ધર્મના ભગવાન જગન્નાથજી ની રથયાત્રા થનાર છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના 22 જેટલા આગેવાનો હાજર રહેલા હતા સુખદેવ મહારાજ (રામજી મંદિરના પૂજારી), પંકજભાઈ ચાવ, રવિન્દ્રભાઈ છાયાણી, હિતેશભાઈ ખોખરીયા, બસીરભાઈ પરમાર, જયેશભાઈ મિયાત્રા, જેઠાભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ કટેશીયા, વિપુલભાઈ સોલંકી, રફિકભાઈ રવાણી, આશિફ ભાઈ અબુભાઈ વગેરે જસદણના આગેવાનો હાજર રહેલા હતા તેમજ બંને સમાજમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું તેમજ સરકાર ની ગાઈડ લાઈ મુજબ પાલન કરવું અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તેનું ધ્યાન રાખવું જેવી વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.