લાઇફ મિશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જામનગર દ્વારા બહેનોને સિલાઈ મશીન ૫૦ % રાહતદરે અર્પણ - At This Time

લાઇફ મિશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર દ્વારા બહેનોને સિલાઈ મશીન ૫૦ % રાહતદરે અર્પણ


લાઇફ મિશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જામનગર દ્વારા બહેનોને સિલાઈ મશીન ૫૦ % રાહતદરે અર્પણ

દામનગર મહિલા ઓને આત્મનિર્ભર બનાવવા ના ઉમદા આશય થી લાઠી તાલુકાના આસોદર ગામમાં બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના પ્રયાસ રૂપે બહેનોને રોજગારી મળી રહે અને બહેનોમાં નવી સ્કીલ અને પોતાનો ધંધો થઈ થઈ શકે તેવા ઉમદા હેતુથી લાઇફ મિશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જામનગર દ્વારા બહેનોને સિલાઈ મશીન ૫૦ % ના રાહતદરે આપવામાં આવ્યા હતા.જેમાં ૧૨ હજારનું મશીન ૬ હજારમાં અને બે વર્ષની ગેરંટી સાથે આપવામાં આવ્યું હતું.. જેમાં આસોદર ગામના અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપપ્રમુખ અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ લાઠી તાલુકા સંયોજક સંજય પરમાર એ ઘણી મહેનત કરી હતી અને આ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.