વીજ કરંટ લાગતા યુવાનનું કમકમાટીભર્યું મોત - At This Time

વીજ કરંટ લાગતા યુવાનનું કમકમાટીભર્યું મોત


શહેરના કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે આવેલી ખોડિયાર સોસાયટીમાં રહેતો 31 વર્ષીય રાજેશ બારડ આજે સવારે પોતાના ઘરે પાણીની ઈલેકટ્રીક મોટર એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકતી વખતે વીજ કરંટ લાગતા મોત નીપજયું હતું.આ અંગે મળતી વિગત મુજબ રાજેશ અરવિંદભાઈ બારડ (ઉ.વ.31, રહે ખોડીયાર સોસાયટી ગેલમાં ડેરીની બાજુમાં કોઠારીયા રોડ, નંદાહોલ પાસે) આજે સવારે નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પાણીની ઈલેકટ્રીક મોટર એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવા માટે રાજેશે પ્રથમ મોટરની સ્વીચ બંધ કરી હતી
પણ પ્લગ હજુ વીજ બોર્ડમાં જ હતો. જેના લીધે કોઈ કારણોસર તેને વીજ કરંટ લાગ્યો હતો. રાજેશના હજુ 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.તે કોટક બેંકમાં કર્મચારી હતો. બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. નવોઢાનાં સેંથાનું સીંદુર ભુંસાતા અને પરિવારે ઘરના આધાર સ્તંભ સમાન યુવાન પુત્ર ગુમાવતા ભારે કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.