ડેન્ગ્યુના 2, ઝાડા-ઊલટી, તાવ,શરદીના 1937 કેસ નોંધાયા - At This Time

ડેન્ગ્યુના 2, ઝાડા-ઊલટી, તાવ,શરદીના 1937 કેસ નોંધાયા


રાજકોટ શહેરમાં ઠંડી અને લગ્નગાળાની પૂરબહાર મોસમ વચ્ચે રોગચાળો પણ ચિંતાજક હદે વકર્યો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની કતારો લાગતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ ન નોંધાયા બાદ છેલ્લા સપ્તાહમાં ચિકનગુનિયાના 1 અને ડેન્ગ્યુના 2 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના 1937 જેટલા કેસ નોંધાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image