ભંગારના ધંધાર્થીને દારૂની મહેફિલમાં પતાવી દેવાયો’તો, આરોપી સકંજામાં - At This Time

ભંગારના ધંધાર્થીને દારૂની મહેફિલમાં પતાવી દેવાયો’તો, આરોપી સકંજામાં


રૈયાધારમાં હત્યા કરાયેલી લાશ મળી આવવાના મામલાનો ભેદ ઉકેલાયો

હત્યા કરી ભાગી ગયેલા શખ્સને રાધનપુરથી પોલીસે ઝડપી લીધો

શહેરના રૈયાધાર વિસ્તારમાં રવિવારે સવારે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક યુવક સાથે સીસીટીવીના ફૂટેજમાં દેખાતો શખ્સ શંકાના દાયરામાં હતો અને તે શખ્સને પોલીસે રાધનપુરથી ઝડપી લેતા હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. દારૂની મહેફિલમાં માથાકૂટ થતાં પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાની આરોપીએ કેફિયત આપી હતી. રૈયાધારમાં મચ્છુનગર ક્વાર્ટર્સમાં રહેતો અને ભંગારની ફેરી કરતો વિનોદ ઉર્ફે વિનોજ દિનેશભાઇ રાફુચા (ઉ.વ.22) શનિવારે સવારે પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ ભંગારની ફેરી કરવા નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો અને રવિવારે સવારે રૈયાધારમાં શાંતિનગરના ગેટ નજીક અવાવરૂ સ્થળેથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.