૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે તા. ૬ જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે - At This Time

૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે તા. ૬ જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે


૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે તા. ૬ જુલાઈના રોજ
દેશમાં પ્રથમવાર ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી
શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે
-ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી
............................
મહાત્મા મંદિર ખાતે યોજાનાર ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની
તૈયારીઓની સમીક્ષા કરતા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
............................
આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી
સહકારી ક્ષેત્રના આગેવાનો, પ્રતિનિધિઓ અને સભાસદો સહભાગી થશે
............................
૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે આગામી તા. ૬ જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે તેમ, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.
કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં
તા. ૬ જુલાઈના રોજ સવારે ૧૦.૦૦ કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાનાર ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરીને આજે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી અજય પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ સહકાર સે સમૃદ્ધિની કાર્યક્રમની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, સહકારથી સમૃદ્ધિ તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ત્રણ વર્ષ પહેલા દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપૂર્વક ત્રણ વર્ષ નિમિતે ગુજરાતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સહકાર કાર્યક્રમની ઉજવણી કરાશે.
શ્રી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકારિતામાં એક એકરૂપતા લાવીને એકસમાન કામ કરવાના હેતુથી વિવિધ ૧૭ ભાષાઓમાં મોડેલ બાય લોઝ તૈયાર કરવામાં આવ્યા છે જેનો તમામ રાજ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો છે જેના પરિણામે દેશના તમામ રાજ્યો સહકારિતા ક્ષેત્રમાં નવા નવા આયામો શરૂ કરવામાં આવ્યા છે. આજે સહકારિતાના અનેક ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે દેશના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઇ રહી છે.
તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે ૫,૦૦૦થી વધુ પ્રાઈમરીથી એપેક્ષ બોડીના સભ્યો, ૨૦૦થી વધુ રાષ્ટ્રીયકક્ષાના સહકારના પ્રતિનિધિઓ, દૂધ મંડળીઓ-સંઘો, સહકારી બેંકો, APMC સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો, આગેવાનો અને સભાસદો સહભાગી થશે.
-----------------
જનક દેસાઈ/નીતિન રથવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.