ગડકરીએ કહ્યું- રાજા એવો હોવો જોઈએ, જે ટીકાઓને પચાવી શકે:ઝેરના ઘુટડા પી જાણે, વિરોધ છે તો રાજા આત્મમંથન કરે; નીતિન ગડકરીએ કોને આપી સલાહ? - At This Time

ગડકરીએ કહ્યું- રાજા એવો હોવો જોઈએ, જે ટીકાઓને પચાવી શકે:ઝેરના ઘુટડા પી જાણે, વિરોધ છે તો રાજા આત્મમંથન કરે; નીતિન ગડકરીએ કોને આપી સલાહ?


કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે રાજા (શાસક) એવો હોવો જોઈએ કે જો કોઈ તેમની વિરુદ્ધ બોલે તેને સહન કરી શકે. ટીકાઓ કરવા બાબતે આત્મમંથન કરે. લોકશાહીની આ જ સૌથી મોટી કસોટી છે. ગડકરીએ શુક્રવારે પુણેમાં MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી. ગડકરીએ કહ્યું કે સાહિત્યકારો, બુદ્ધિજીવીઓ અને કવિઓએ તેમના વિચારો ખુલ્લાપણે અને મજબૂત રીતે વ્યક્ત કરવા જોઈએ. આજકાલ રાજકારણમાં જે થઈ રહ્યું છે તે અન્ય સ્થળો (વિદેશી દેશો)માં પણ બન્યું છે. ત્યાં સુધી કે પાર્ટીનું અસ્તિત્વ પણ ભુંસાઈ ગયું. સત્તામાં રહેલી વ્યક્તિએ તેની સામેના મજબૂત અભિપ્રાયને પણ સહન કરવો જોઈએ
ગડકરીએ વધુમાં કહ્યું- આપણી લોકશાહીની ખરી કસોટી એ છે કે સત્તામાં રહેલી વ્યક્તિએ તેની સામેના મજબૂત અભિપ્રાયને પણ સહન કરવો જોઈએ અને વિરોધ હોય તો આત્મમંથન કરવું જોઈએ. બંધારણને ટાંકીને ગડકરીએ કહ્યું કે બંધારણ દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. તેમણે એમ પણ કહ્યું, 'આપણને લોકશાહીની માતા કહેવાય છે, જે વિધાનસભા, કાર્યપાલિકા, ન્યાયતંત્ર અને મીડિયાના ચાર સ્તંભો પર ઉભી છે. આપણું બંધારણ દરેકના અધિકારો અને જવાબદારીઓને સ્પષ્ટ કરે છે. આ બંધારણ વિચારકોને રાષ્ટ્રીય હિતમાં કોઈપણ ડર વગર પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ આપે છે. ગીતા, કુરાન અને બાઈબલનો મૂળ અર્થ જણાવ્યો
ગડકરીએ કહ્યું કે દેશ જાતિ કે ધર્મથી પ્રેરિત સામાજિક અસમાનતા સાથે આગળ વધી શકતો નથી. ગીતા, કુરાન અને બાઈબલનો મૂળ વિચાર એક જ છે. તેમાં વ્યક્તિની પસંદગી છે કે તેના ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરવી. જેમ આપણને વાણી સ્વાતંત્ર્ય છે તેમ ધર્મની પણ સ્વતંત્રતા છે. ગડકરીએ કહ્યું- એક નેતાએ કહ્યું હતું પીએમ બનો, સમર્થન આપીશઃ મેં ઓફર ફગાવી દીધી હતી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 14 સપ્ટેમ્બરે એક ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. ગડકરીએ કહ્યું હતું કે એકવાર એક નેતાએ તેમને વડાપ્રધાન પદ માટે સમર્થનની ઓફર કરી હતી. જો કે, ગડકરીએ આ ઓફરને એમ કહીને નકારી કાઢી હતી કે તેમની આવી કોઈ ઈચ્છા નથી. ગડકરીએ કહ્યું- 'મને એક ઘટના યાદ છે. હું કોઈનું નામ નહીં લઉં… તે વ્યક્તિએ કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનો તો અમે સમર્થન કરીશું. ગડકરીએ વધુમાં કહ્યું- 'મેં તેમને પૂછ્યું કે તમે મને કેમ સમર્થન કરશો અને હું તમારો ટેકો કેમ લઉં? પીએમ બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારા સંગઠને વફાદાર છું. હું કોઈપણ પદ માટે સમાધાન નહીં કરું. મારો નિશ્ચય મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. ગડકરીએ કહ્યું હતું - ફાઇલ પર વજન મુકતા જ કામ ઝડપથી થઈ જાય છે
અગાઉ 15 સપ્ટેમ્બરના રોજ ગડકરીએ કોલેજ ઓફ એન્જિનિયરિંગ પુણે (COEP)માં એન્જિનિયર્સ ડે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે પારદર્શિતા હોવી જોઈએ. ક્યારેક સંજોગો એવા હોય છે કે રસ્તાઓ પરના ખાડા પૂરવા માટે પણ સાહેબના ઓર્ડરની જરૂર પડે છે. હું અત્યારે તેમના વિશે વધુ કહેવા માંગતો નથી, પરંતુ ક્યારેક પૈસા હાથમાં આવતાં જ કામ શરૂ થઈ જાય છે. અમારી પાસે અહીં 'ન્યૂટનના પિતા' છે, તમે ફાઇલ પર જેટલું વજન મુકશો તેટલી ઝડપથી કામ પુરુ થશે. આ સમાચાર પણ વાંચો... ગડકરીએ કહ્યું – જો શિવાજીની પ્રતિમા સ્ટીલની બનેલી હોત, તો તે પડી ન હોત; પીએમ, સીએમ-ડેપ્યુટી સીએમએ માફી માંગી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે (3 સપ્ટેમ્બર) કહ્યું કે જો છત્રપતિ શિવાજીની પ્રતિમા બનાવવામાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય પડી ન હોત. કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના એક કાર્યક્રમમાં કહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.