સાળંગપુર મંદિરે દર્શન કરી બોટાદ પરત ફરતા ફોરવ્હીલર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત - At This Time

સાળંગપુર મંદિરે દર્શન કરી બોટાદ પરત ફરતા ફોરવ્હીલર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત


( રિપોર્ટર ચેતન ચૌહાણ બોટાદ)
બોટાદ શહેરનાં સાળંગપુર રોડ પર ફોરવ્હીલર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાઈકમાં સવાર બે યુવાનો દર્શન કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે સામેથી આવતી કાર સાથે અકસ્માત ઘટનામાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક બંને યુવાનો બોટાદ શહેરનાં રહેવાસી છે અને સાળંગપુર દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.બોટાદના સાળંગપુર રોડ ઉપર બોટાદ શહેરમાં રહેતા યશ વિજયભાઈ અને તુષાર હિતેશભાઈ નામના બંને યુવાનો સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન સામેથી આવી રહેલી GJ-11-CH-4028 નંબર ની કારે બાઇક નંબર ની GJ-04-BP-6296 સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા બાઈકમાં સવાર બંને યુવાનો હવામાં ફંગોળાઈ દૂર ફેંકાયા હતા અને કાર અને બાઈકનો બુકડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક બંને યુવાનોમાં એક યુવાન બોટાદ શહેરનાં પાંચપડા વિસ્તારમાં તો બિજો યુવાન ભાવનગર રોડ મહાજનની વાડી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.