પ્રાકૃતિક ખેતી અંગે બોટાદના ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઇ - At This Time

પ્રાકૃતિક ખેતી અંગે બોટાદના ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઇ


ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વગર એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. આપણાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વાર ખોલે તે માટે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.
જે અન્વયે બોટાદ જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાનો સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ૫ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ખેતી અધિકારીશ્રી એચ.ડી.ચૌધરીનાં અધ્યક્ષસ્થાને ખસ રોડ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી અને માર્ગદર્શન આપતી શિબિર યોજાઈ હતી. જેમાં ગ્રામ સેવક વનરાજ ડાંગર તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ઝેરમુક્ત ખેતી કરવા પ્રોત્સાહિત થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.