આજે શિહોર કોંગ્રેસ દ્વારા હાઈવે પરના ખાડાઓ અને ખરાબ રસ્તાઓના પ્રશ્ન માટે સિહોર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

આજે શિહોર કોંગ્રેસ દ્વારા હાઈવે પરના ખાડાઓ અને ખરાબ રસ્તાઓના પ્રશ્ન માટે સિહોર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું


સિહોરમાંથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને શહેરીજનોને મુશ્કેલીઓ પડી રહી છે તથા નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે આજરોજ સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તૂટેલા રોડ રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે પટેલ,ધીરુભાઈ ચૌહાણ,કિરણભાઈ ઘેલડા, માવજીભાઈ સરવૈયા,યુવરાજ રાવ,ધવલ પલાણીયા,હર્ષદભાઈ બાંભણીયા,રાજુભાઈ બુદ્ધભટ્ટી,ઈશ્વરભાઈ નમસા,વિપુલભાઈ ત્રિવેદી,છોટુભા રાણા,કિરીટભાઈ મોરી,અશોક બુદ્ધભટ્ટી,દેવ મકવાણા, રઘુવીર રાઠોડ વગેરે કાર્યકરો જોડાયા હતા... રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.