પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને રૂપિયા 1100000 અગિયાર લાખનું દાન - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને રૂપિયા 1100000 અગિયાર લાખનું દાન


(કનુભાઈ ખાચર દ્વારા )
ભારતીય સંસ્કૃતિમાં આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ગાય માતાનો મહિમા ખૂબ જ વર્ણવેલો છે જેમાં 33 કોટી દેવતાનો વાસ છે એવા ગાય માતા માટેનું દાન શ્રેષ્ઠ દાન છે.આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ચેરમેન તેમજ પાંજરાપોળ નાં પશુઓ માટે કરુણા દર્શાવતા પ્રેરક પરિવાર નાં ગુણવંતભાઈ.ચીમનલાલ.ગોપાણી ની પ્રેરણા થી₹.11,000,00/(અગિયાર લાખ) અબોલ પશુઓનાં ઘાસચારા માટે મળેલ છે. પાંજરાપોળ ટ્રસ્ટ નાં અબોલ પશુઓ માટે સતત ચિંતિત રહી અવાર નવાર માતબર રકમનું દાન ની પ્રેરણા કરનાર ગુણવંતભાઈ નો પાંજરાપોળ નાં ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને જીવદયા નાં કાર્ય ની ખુબ ખુબ અનુમોદના વ્યક્ત કરે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.